SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તેમના ઉત્સાહી શિષ્યરત્ન કવિકુલતિલક શતાવધાની પન્યાસજી મહારાજ શ્રી કીર્તિવિજયજી ગણિએ (હાલ આચાર્ય શ્રી વિજય કીર્તિચંદ્રસૂરિજી) જે દીર્ધદષ્ટિ દેડાવી એ નેને સંગ્રહ ન કર્યો હોત તે આ કામ ભાગ્યે જ બની શક્યું હોત, એટલે આ ગ્રંથપ્રકાશનના શ્રેયમાં તેમને ફાળે અગત્યને છે થી હરકીશનદાસ ઝવેરી-પાર્લાવાળાએ આ વ્યાખ્યાને લખવામાં સારો એવો પરિશ્રમ ઉઠાવે છે, તેમને પણ આ પ્રસંગે કેમ ભૂલાય? સંગ્રહિત ધેને વ્યવસ્થિત કરવાનું કામ સં. ૨૦૧૫ના મુંબઈ -કેટ ચાતુર્માસમાં મને સોંપાયું. એને હું મારું અહોભાગ્ય સમજું છું. એ કાય મેં નિષ્ઠાપૂર્વક પૂરા પરિશ્રમથી કર્યું છે અને તેમાં મને ઘણો આનંદ આવ્યો છે. મેં આ વ્યાખ્યાનના વિષથ ગાઠવ્યા છે, આગળ-પાછળ કહેવાયેલી હકીકતેને કમબદ્ધ કરી છે અને કેટલીક જગાએ સંસ્કરણ પણ કર્યું છે, પરંતુ એમ કરતાં તેમની શૈલી કે તેમના કહેવાના આશયને બાધ ન આવે તેની પૂરતી કાળજી રાખી છે. ઉપરાંત પાઠોને વિષય સમજવામાં સરલતા પડે તે માટે કેટલીક ને પણ આપી છે. આ વ્યાખ્યાનનો મુખ્ય વિષય આત્મતત્ત્વ છે અને તેનાં અનુસંધાનમાં જ કર્મ અને ધમને વિચાર કરવામાં આવ્યો છે, એટલે આત્મતત્ત્વવિચાર? એ નામ સાર્થક છે. હું આશા રાખું છું કે ભૌતિકવાદની ભ્રમણામાં પડેલા અનેક મનુષ્યને તે અધ્યાત્મને ઉમદા સંદેશો આપશે અને તેમના જીવનમાં વિકાસની કુંકુમ પગલીઓ પાડશે. તા. ૨૪-૭-૬૦ ૧ મુંબઈ સંસેવક, ધીરજલાલ ટેકરશી શાહ
SR No.007256
Book TitleAatmtattva Vichar Part 01
Original Sutra AuthorN/A
AuthorLakshmansuri, Dhirajlal Tokarshi Shah
PublisherAatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
Publication Year1974
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy