________________
આત્માની અખંડતા અને જો એ પ્રસંગ ન આવે તે આત્માની શક્તિ ચૌદ રાજલોકમાં વ્યાપવા જેટલી છે, તે શી રીતે જણાય ?”
તેને ઉત્તર એ છે કે શરીરની મોટામાં મોટી અવગાહના ૧૦૦૦ વૈજનાથી કંઈક અધિક હોય છે, તે બરાબર છે, પણ જ્યારે આત્માને કેવલી સમુદ્દઘાત કરવાને પ્રસંગ આવે છે, ત્યારે આત્મપ્રદેશો શરીરની બહાર નીકળે છે અને તે ચૌદ રાજલોકપયત વ્યાપે છે. તે આ પ્રમાણે જે સર્વજ્ઞા કેવલી ભગવંતને નામ, ગોત્ર અને વેદનીય એ ત્રણ કર્મની સ્થિતિ પિતાનાં આયુષ્યકમની સ્થિતિથી અધિક ભોગવવી બાકી રહી હોય તે તે કેવલી ભગવંત ઉક્ત ત્રણે કર્મની સ્થિતિ આયુષ્યકર્મની સ્થિતિ જેટલી બનાવવા માટે પિતાના આત્મપ્રદેશને શરીર બહાર કાઢી, પહેલે સમયે કાન્ત એટલે લેકના નીચેના છેડાથી ઉપરના છેડા સુધી ચૌદ રાજલોક પ્રમાણ ઊંચે અને સ્વદેહ પ્રમાણ જાડે આત્મપ્રદેશને અંડાકાર રચે છે, બીજે સમયે પૂર્વથી પશ્ચિમ અથવા ઉત્તરથી દક્ષિણ લાંબો લેકાંત સુધી કપાટ આકાર બનાવે છે, ત્રીજે સમયે ઉત્તરથી દક્ષિણ અથવા પૂર્વથી પશ્ચિમ આત્મપ્રદેશ લંબાવી બીજે
* સમુદ્દઘાતમાં આત્મપ્રયત્ન અને કર્મની ઉદીરણ મુખ્ય હેય છે. (ઉદયમાં ન આવેલા કમને આકર્ષીને ભોગવી લેવા તેનું નામ ઉદીરણા.) તે (૧) વેદના, (૨) કષાય, (૩) મરણ, (૪) વૈક્રિય, (૫) તૈજસ, (૬) આહારક અને (૭) કેવલી એમ સાત પ્રકારે હોય છે. તેમાં પ્રથમના છ છરથ જીવોને પ્રત્યેક અંતર્મુહૂર્ત પ્રમાણુ હેય છે અને છેલ્લે સર્વજ્ઞોને આઠ સમય પ્રમાણ હોય છે. આ સમુઘાતનું વિશેષ વરૂપ દંડક વિગેરેમાંથી જાણી લેવું