________________
૩૮૬
ચાર ગતિનાં કારણે લગ્નની વાત મૂકવી, એ જોખમકારક લાગે છે. ઈન્દ્ર લગ્નની વાત કરી, એટલે ભગવાને અવધિજ્ઞાનથી જોયું કે-મારૂં ભેગફલ કમ એવું દઢ છે કે–ત્રેસઠ લાખ પૂર્વ એટલે કાળ મારે એ ભેગવવાનું જ છે!” ત્યારે ભગવાને અવધિજ્ઞાનથી જાણ્યું કે-આ ભેગફલ કર્મને ભગવ્યા વિના છૂટકે થવાને નથી, ત્યારે ભગવાનનું માથું હાલી ગયું છે, મુખ નીચું નમી ગયું છે અને કરમાએલા કમળ જેવે એ તારકને અહેર થઈ ગયે છે. ભગવાન આમ મૌન રહ્યા, એટલે ઈન્દ્ર ભગવાનની સંમતિ સમજી લઈને, લગ્નને લગતું કાર્ય શરૂ કરી દીધું! હવે કોઈ પૂછે કે-“ભગવાન કેમ પરણ્યા?”—તે શું કહેશે? ભગવાન વિષયરાગથી પરણ્યા, એમ કહેશે? ભગવાનને પણ પરણવાને મેહ થઈ ગયે હરે, એમ કહેશે? એવું બોલવાનું પાપ ભૂલ-ચૂકે પણ થાય નહિ, તેની કાળજી રાખજે. ભગવાન શ્રી અરિહન્તદેવેનું અન્તિમ ભવનું જીવન, જ્ઞાનપ્રધાન હોય છે. અન્તિમ ભવમાં એ જે કાંઈ કરે, તે કમને ખપાવવાને માટે જ કરે ! એ તારકેના અન્તિમ ભવના જીવન વિષે જરા ય ઘસાતું બેલવું, એ મહા પાપના ઉદય વિના બને નહિ. સમ્યગ્દષ્ટિને કેવા વિચાર આવે ?
તમે પરણ્યા ત્યારે તમને કાંઈ વિચાર આવેલે ખરે? આ પાપમાં ભારે પડવું પડે છે, એવી શરમ આવેલી ખરી? પરણેલા, તે ઉત્સાહમાં કે શરમીંદા બનીને નીચે મઢે? કદાચ તમારાં લગ્ન થયાં ત્યારે તમે અજાણ હશે, એ વખતે તમને ગમ નહિ હોય, પણ તમે જ્યારે તમારા દીકરા-દીકરીનાં