________________
બીજો ભાગ
૩૭૭
ગુણને પામેલે સાવ જડ-ચેતનના વિવેક વિનાને હોય? એની પાસે એકદમ અમલી જ્ઞાન ન મગાય, પણ એને એનો સામાન્ય ખ્યાલેય ન હોય? શ્રી ધના કાકંદી, શ્રી અંધક મુનીશ્વર, એ વગેરે મહાત્માઓનું ભેદજ્ઞાન મહા અમલી હતું, પણ સામાન્ય પ્રકારનું ભેદજ્ઞાનેય સમ્યગ્દષ્ટિને ન હોય? સંસાર ભૂંડે છે, તજવા જેવું છે અને પાપકર્મને વેગ જ સંસારમાં રાખનાર છે, એવું સમ્યગ્દષ્ટિને સામાન્યપણે પણ ન લાગે? દેવ-ગુરૂધર્મની શ્રદ્ધા ય પૂરી છે અને ઘરમાં રહેવું એમાં જ આનંદ –એ શ્રદ્ધા ય પૂરી છે, તે એ શું સમ્યગ્દષ્ટિ છે? વાત કરે ત્યારે એમ કહે કે- “દેવ વીતરાગ જ જોઈએ, ગુરૂ ત્યાગી જ જોઈએ, ધર્મ સારે જ જોઈએ” અને જ્યાં એની પોતાની વાત આવે, એટલે કહે કે-“આપણે તે અહીં સંસારમાં નહેર છે” – એ સમ્યગ્દષ્ટિ છે? એને સમજાવાય કે-હજુ સમ્યકત્વને પરિણામ પ્રગટક્યો નથી! સમ્યકત્વ ગુણ પ્રગટયો હોય, તે અવિરતિ માત્ર છોડવા જેવી છે, એમાં એને શંકા હોય નહિ. સુદેવાદિને પણ માને અને ગૃહસ્થાવાસમાં જીદગી સુધી મેજથી રહેવાય તે ય વાંધો નહિ-એવું પણ માને, તે એનામાં સમ્યક્ત્વ નહિ ને? આ કસોટીમાં કસીને તમે તમારામાં સમ્યકત્વ હેવાનું માને છે ને ? પછી, તમારી બધી કરણી ઉંચી કોટિમાં જવાની છે. સમ્યગ્દષ્ટિને થેડે પણ ધર્મ, મહા લાભનું કારણ બને. તમારે નિર્ણય તમે કરે
સર્વવિરતિ હય, દેશવિરતિ હોય કે અવિરત સમ્યગ્દષ્ટિ હોય, એ ત્રણેમાંથી એકેયને “ઘરવાસ છોડવા જે છે અને