SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ચાર ગતિનાં કારણે રહેતાં. એનું સ્મરણ આજે પાટણ, સુરત, અમદાવાદમાં જે. ડાંક ગૃહમદિરો છે, તે કરાવે છે. કેટલાંક ઘરોની સ્થિતિ નબળી પડી ગયેલી હોય છે, તે ય એ ઘરમાંથી શ્રી જિનની ભક્તિમાં થોડું પણ દૂધ અને દીપકમાં ઘી આદિ વપરાય છે. ગરીબી આવી જવા છતાં ય, જેઓના હૈયામાં શ્રી જિનભકિત છે, તેઓ કહે છે કે અમારા પૂર્વજે આ મંદિર મૂકી ગયા છે, તે ચાર આના જેમ પેટમાં જાય છે, તેમ આ ખાતેય આને જાય છે. કેટલાક તે કહે છે કે આટલે બધે અશુભેદય છતાં એટલે જ પુણ્યદય છે કે-આ મંદિર ઘરમાં છે, તો આ માગે આટલું જાય છે. આવી સ્થિતિમાં અમે આટલું પણ બીજે ખર્ચવા જાત નહિ અને આ છે તો અમે આવક મુજબ જેમ બીજે ખર્ચ ગણીએ છીએ, તેમ આ ખર્ચ પણ ગણી લઈએ છીએ. ઘરમંદિરવાળાં ઘરોમાં, મોટે ભાગે છોકરાં નાસ્તિક ન પાકે. જેના ઘરમાં મંદિર હોય, તે ઘરમંદિરે દર્શનપૂજન આદિકરીને પછી શ્રીસંઘના મંદિરે જાય. શરીરે લેહી વગેરે નીકળતું હોય, તે પિતાની સામગ્રીથી બીજાની પાસે પૂજા કરાવે. દેવપૂજા કર્યા પછી, ગુરૂ પાસે જઈને પચ્ચખાણ કરે અને પચ્ચખાણ પાયું હોય તે વ્યાખ્યાન સાંભળે. વ્યા ખ્યાન ઉડ્યા બાદ ફરીથી ગુરૂને પથ્યાદિ અંગે પૂછી લે તેમ જ પિતાને ઘરે વહેરવાને પધારવાનું નિમન્ત્રણ કરે. તમે નવકારશી કરે છે, તે નવકારશી ર્યા વિના ચાલે તેમ નથી માટે કરે છે કે ટેવથી કરે છે? અને, ટેવથી કરતા હો, તે એ ટેવ રાખવા જેવી છે કે કાઢી નાખવા જેવી? શ્રી જિનવાણીને સાંભળવાને વેગ હોય તે સાંભળ્યા વિના ન રહો, એવું ખરું? પછી મધ્યાહુનની પૂજા કરીને જમે અને ત્યાર બાદ ધંધાને
SR No.007254
Book TitleChar Gatina Karno Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy