________________
૭૨
ચાર ગતિનાં કારણે આવ્યું. એની નજર જેવી બિછાના ઉપર પડી અને તેમાં પિતાની નોકરડી બાઈ સુતેલી છે-એવું જણાયું, કે તરત ' જ એને એને સમજાવી દીધું કે–“તારી પથારીમાં બીજા કેઈથી સુવાય જ કેમ? અને તેમાં પણ, નોકરડીથી તે પગ પણ મૂકાય કેમ ?” આવું એ અમલદારના આત્માને સમજાવી દઈને, એના મેહે, ક્રોધ નામના પિતાના બળવાન નેકરને, એ અમલદારના આત્માની સેવામાં બરાબર છે દીધે. એ ક્રોધ, એ અમલદારના આત્માને સૂચવે છે કે- આમ જોઈ શું રહ્યો છે? લે આ હંટર હાથમાં અને ઠેકવા માંડ એના શરીર ઉપર !
અમલદારે, હંટરને હાથમાં લઈને પેલી ઉંઘતી બાઈ ઉપર ઠોકવા માંડ્યું! એક ચાબખે પડતાંની સાથે જ એ બાઈ જાગી ગઈ, ગભરાઈ ગઈ, પલંગની નીચે ઉતરી પડી, માફી માગવા લાગી, કરગરવા લાગી. પણ એ અમલદારના આત્માને ક્રોધ કહે છે કે-“એ તો કરગરે, પણ એમ તે કાંઈ છોડી દેવાય ? કેવી ગંભીર ભૂલ? તારા બિછાના ઉપર સુઈ જવાની હિંમત, આવી એક નેકડી કરે ? આવું ચલાવી લેવાય? આની તો એવી ખબર લઈ નાખવી જોઈએ કેઆવું કામ કદી પણ કરવાની, એ એની જીંદગીમાં બે ભૂલી જાય !” અને એ અમલદારે એ બાઈને ચાબખા ઉપર ચાબચા ઠેકવાનું ચાલુ જ રાખ્યું.
થડાક ચાબખા પડ્યા, ત્યાં સુધી તે બાઈ કરગરી, બહુ કરગરી, ચીસે પાડી પાડીને રડવા લાગી અને માફી માગવા લાગી; પણ પેલાએ તે ચાબખા મારવાનું કામ ચાલુ જ રાખ્યું; એમાં એ બાઈને એક એ વિચાર આવી ગયો,