SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ ૩૩૧: તે શ્રી મરૂભૂતિજી પ્રત્યે વૈરભાવવાળે બળે. આવું પરિણામ આવવાથી, શ્રી મરૂભૂતિજીને પસ્તા થયે અને તેથી તેઓ પિતાના મોટા ભાઈને ખમાવવા ગયા; જ્યારે કમઠના જીવે તે વખતે પિતાને જાગેલા વૈરભાવના યોગે, શ્રી મરૂભૂતિજીને ઘાત કરી નાખ્યો. આમ, શ્રી મરૂભૂતિજીને જીવ ઉપશમના સંસ્કાર સાથે અને કમઠને જીવ વરના સંસ્કાર સાથે, ભવા ન્તરમાં ગયા. બન્નેના સંસ્કારએ પિતપતાનું કામ કર્યું. કમઠના જીવે શ્રી મરૂભૂતિના જીવને, જે જે ભવમાં એ બન્નેને ગ થયે તે દરેક ભવમાં, હેરાન જ કરેલ છે અને શ્રી મરૂભૂતિજીના જીવે, ઉપશમને જ અનુભવ કર્યો કર્યો છે. એક ભવમાં, શ્રી મરૂભૂતિજીનો જીવ જ્યારે મુનિપણામાં હતો, તે વખતે કમઠના જીવે તેમને બાણ માર્યું. એ બાણ વાગવાથી તેઓ નીચે પડી ગયા, પણ વિચાર કર્યો ? એમણે એ બાણના ઘાને જીવલેણ નિવડેલે જાણવા છતાં પણ, વિચાર એ જ કર્યો છે કે હું સૌને ખમાવું છું અને આ બાણ મારનારને તે વિશેષ પ્રકારે ખમાવું છું!” કેમ એમ? એના તરફ વેરભાવ આવી જવાનું મેટું કારણ હતું માટે અને આરાધનામાં એ સારે સહાયક મળી ગયે, એ માટે પણ! એ વખતે, જે એમ થઈ જાય કે હું મારી મેળે મારા ધ્યાન નમાં ઉભો હતો, ત્યાં આણે મને બાણ કેમ માર્યું?” અને એમાંથી જે ગુસ્સો આવી જાય, તે? તે, કમસત્તા એમને છેડી દે? નહિ જ. કર્મસત્તા તે કહે કે-એણે એનું હૈયું બગાડયું તે સાચું, એનું ફળ એ ભેગવશે, પણ એમાં તેં તારું હૈયું કેમ બગાડયું ? તે તારું હૈયું બગાડ્યું, માટે એનું ફળ તું પણ ભગવ!' પણ શ્રી મરૂભૂતિજીના જીવને ગુસ્સો આવ્યો
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy