SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ પહેલે ભાગ પમાડવાને ચાહે, તે ય તમે ધર્મને પામી શકે ખરા ? ઊલટું, એ વખતે પણ વિરભાવ તાજો થાય અને એને લીધે, ધર્મગુરૂની આશાતના અગર ધર્મગુરૂની હિંસાદિ કરવાનું ય પાપ બંધાય, એમ પણ બને ને ? સર્વ વૈરભાવોને સંવત્સરીએ તે તજવા જ જોઇએ સ્થિર વૈવાળો નરકે ન જાય, તો નવાઈ એ નરકે જાય, તેમાં તે નવાઈ જ નહિ. ત્યારે, આપણે કોઈની ય સાથે વરભાવ નથી ને? હોય, તે ય તેને કાઢી નાખવે છે ને ? હૈયામાં કેઈ આવેશ બેઠે હશે, તે વૈરભાવ નહિ જાય. છેવટમાં છેવટ, સંવત્સરીએ તે સર્વ જીવોની સાથે ક્ષમાપના અવશ્ય કરવી જોઈએ, એ તે જાણે છે ને? એનો અર્થ એ નથી કે-સંવત્સરી સુધી વરને સાચવી રાખવું જોઈએ અને સંવત્સરી પહેલાં ક્ષમાપના નહિ કરવી જોઈએ. વૈરભાવ તે, જેટલો વહેલો તજાય તેટલો સારે. તે ને તે દિવસે વરભાવ ન જાય તે પંદર દિવસમાં, પંદર દિવસમાં ન જાય તે ચાર માસની અંદર અંદર અને છેવટમાં છેવટ સંવત્સરીએ તે ચોક્કસ, સર્વ જીવોની સાથેના સર્વ પ્રકારના વૈરભાવને તજીને, સાચા દિલથી ક્ષમાપના કરી લેવી જોઈએ. સંવત્સરીએ પણ જે કેઈના ય પ્રત્યેને વૈરભાવ રહી જાય તે તે આત્માના સમ્યગ્દર્શન રૂપ વિવેકને પણ હરી લેનાર નિવડે. કેઈ પણ જૈન, સંવત્સરીની આરાધના કર્યા વિના રહી શકે નહિ અને સંવત્સરીની સાચી આરાધના કરવી હોય, તે તે માટે સર્વ જ પ્રત્યેના સર્વ પ્રકારના વૈરભાવને સિરાવી દેવા જ જોઈએ. આ વર્ષની સંવત્સરી હવે બહુ દૂર નથી. આ સંવ
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy