SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ગતિનાં કારણો આજ્ઞાની આરાધનાથી જ તરાય અને એ તારકની આજ્ઞાની વિરાધનાથી ડૂબાય, એ સંસ્કારને પુષ્ટ કરીએ છીએ. અને ત્યાર સુધી તારી આજ્ઞાને મેં માની નહિ, માટે હજુ પણ હું સંસારમાં ભટકું છું અને મોક્ષને પામવાને માટે, દુઃખથી છૂટવાને તથા સુખને મેળવવા માટે, કાંઈ પણ આરાધવા યોગ્ય હેય, તે તે તારી આજ્ઞા જ છે”—આ ખ્યાલ પેદા થાય, એ ખ્યાલ પેદા થયો હોય તો એ ખ્યાલ સતતું જાગ્રત રહે, એ માટે આપણે ભગવાનની પાસે યાચના કરીએ છીએ કે“તું મને તાર !” બાકી છે, ભગવાને, આપણે સંસારમાં રૂલીએ છીએ શાથી, સંસારથી છૂટવાની જરૂર શા માટે છે અને સંસારથી છૂટીને મુક્તિને મેળવવાને માટે શું શું કરવું જોઈએ—એ વગેરે દર્શાવ્યું છે. એ જ, એ તારકને મોટામાં માટે ઉપકાર છે. એ નથી ડૂબાવતા કે નથી તારતા, પણ આપણે જ આપણાં કૃત્યથી ડૂબી એ છીએ અને આપણું પુરૂષાર્થથી જ આપણે તરવાનું છે. છોકરાના ખૂનીને ફાંસીની સજા થાય તે રાજી થાવ ને? ત્યારે આપણે જે દુઃખથી ને દુર્ગતિથી બચવું હોય, તે કમથી કમ પંચેન્દ્રિય પ્રાણિને વધ, મહારંભ અને મહા પરિગ્રહ આદિમાંથી મને વૃત્તિને તે ફેરવી જ નાખવી પડશે ને? એ કામ બંધ જ કરવાં હેય, તે સાધુ બનવું પડે અગર તે બહુ જ પરિમીત બની જવું પડે; પણ તે માટે ય મનેવૃત્તિને ફેરવ્યા વિના તે ચાલે તેમ છે જ નહિ. મનેવૃત્તિમાં હિંસાને, આરંભને અને પરિગ્રહને રસ નહિ રહે જોઈએ. પ્રસંગવશ થઈ જાય, જરા ગમી ય જાય, પણ તરત પાછું
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy