SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ચાર ગતિનાં કારણો કરવાના હુકમ આપી દીધો. નગરમાં ઢંઢેરો પીટાબ્યા કે‘ આવતી કાલે, રાજા, માટી ઋદ્ધિ સહિત ભગવાનના દર્શને જવાના છે, માટે સઘળા ય નગરજનાએ, પાતપાતાની ઋદ્ધિ મુજબ નગરને શણગારવું.' રાતમાં તે આખું ય નગર ભવ્ય રીતિએ શણગારાઇ ગયું. કદી ન મંડાયા હાય તેવા, ભગવદ્ દર્શનનેા મહોત્સવ મંડાયા. શણગારેલા હાથી ઉપર બેસીને, સઘળા ય પરિવારની સાથે, ચતુરંગી સેનાને પણ સાથે લઈ ને, રાજા દેશાણુંભદ્ર ભગવાનના દર્શને નીકળ્યા. નગરને શણગારેલું જોઈને અને બીજી બધી સજાવટોને જોઈને, એ ખૂબ જ આનંદિત થયા. એમને એમ થઈ ગયું કે- આજ મારી ઋદ્ધિ સફળ થઈ. મારા મનારથ ફખ્યા.' રાજા દશાર્ણભદ્રના ભગવદર્શનના આ મહોત્સવની ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્ર, રાજા દશાર્ણભદ્રની પ્રભુ પ્રત્યેની ભક્તિની ભાવનાને જાણીને ખૂશ થયા; પરન્તુ, ઇન્દ્ર અવધિજ્ઞાની છે, એટલે એમને ખબર પડી ગઈ કે કાઈ એ પણ જેવી ઋદ્ધિથી ભગવાનનું દર્શન કર્યું હાય નહિ, તેવી ઋદ્ધિથી હું ભગવાનના દર્શને જાઉં છું, એવા ખ્યાલ આના હૈયામાં છે. ઇન્દ્રને થયું કે-આ ખ્યાલ, એના મગજમાંથી કાઢી નાખવા જોઇએ. આવી સુન્દર ભક્તિમાં, આ ભાવ, એ તેા સેાનાની થાળીમાં લેાઢાની મેખ જેવા છે. એને એમ થવું જોઇએ કે-આ ભગવાનની આનાથી ય કેઈ ગુણી ઋદ્ધિથી ભક્તિ કરનારા વિદ્યમાન છે. આ ભગવાન જ એવા છે કે જે આમને ઓળખે, તેને પેાતાની સઘળી ય ઋદ્ધિથી આમની ભક્તિ કરવાનું મન થયા વિના રહે નહિ. રાજા દશાર્ણભદ્રના હૈયામાંથી પેલા ભાવને કાઢી નાખવાને માટે, ઇન્દ્રે એવા ઋદ્ધિયુક્ત હાથી વિકુબ્યા, કે
SR No.007253
Book TitleChar Gatina Karno Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherJain Pravachan Pracharak Sarvajanik Dharmik Trust
Publication Year1954
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy