________________
છે.
કહાન રત્ન સરિતા કરવી, એમ કહો, બન્ને એકાર્થ છે.
અહીંયા શું કહે છે ? કે એ રીતે ધન વૈભવ મળતા શેઠીયાઓ ખુશી ખુશી થઈ જાય છે. સરવૈયામાં નફો વધેને તો એને પોરો ચડે કે ઠીક, આપણી મૂડી વધી ! મૂડી વધી, આપણી શક્તિ વધી, આપણી મૂડી વધી, (એમ) એને હૂંફ આવે છે ! જે પદાર્થ આત્માથી તદ્ન ભિન્ન છે અને ચૈતન્ય પદાર્થની અપેક્ષાએ તો એ જડ છે, વળી એ નાશવંત છે એટલે એનો સંયોગ પણ કાયમી નથી, છતાં જીવને હુંફ આવે છે અને હૂંફ આવે ત્યારે માણસ બહેકી જાય છે ને ! (કે) મારે કોઈની સાડીબાર નથી ! દેખાય છે ને ? માણસ નથી કહેતા કે, ભાઈ ! કાંઈ નહોતું એમાં બે પૈસા થઈ ગયાં, એટલે ચકલી ફલેકે ચડી ! આ કહેવત છે. એટલે એમકે હવે ઊડાઊડ કરે છે અને પહેલાં આમ ચાલતાં હતાં અને હવે આમ ચાલે છે એમ ઘણું બધું એમાં આવે છે. લોકોની બોલણીમાં તો ઘણું આવે છે (કે) મોટું ફુલાવે છે અને આમ બધું ફરી જાય ! (એ એમ બતાવે છે કે, એને એ હૂંફ છે!
નાશવંત પદાર્થની કાલ્પનિક હૂંફ પાછળ પણ જીવના પરિણામને આટલો ટેકો મળે છે, તો અનાદિ અનંત શાશ્વત ચૈતન્ય ઋદ્ધિ દિવ્ય શક્તિઓથી ભરપૂર તત્ત્વ છે. એની સમ્યફદૃષ્ટિ જીવોને હૂંફ આવે છે. એનો આધાર લે છે ને, એનો) આશ્રય લે છે કે “આવો હું !” જે પરમેશ્વરપદ છે, સાક્ષાત્ સિદ્ધપદ છે. એની હુંફ કેટલી આવે ? કે અનંતી આવે. એને જગતની– કોઈની તમા રહેતી નથી કે જગતના જીવો મને અનુકૂળ થાય તો ઠીક. બીજા જીવો મને આવો ધર્મી ઓળખે તો ઠીક, બીજાઓ મને આમ જાણે અને માને તો ઠીક, એવી બીજાઓના ભાવોની લાચારી છૂટી જાય છે. * સોગાનીજી સાથે તો (મારે) પરિચય હતો ને, ઘણો પરિચય હતો એટલે) એક વખત કહ્યું કે, “આપના વિશે ગુરુદેવ જાણે તો ઘણો પ્રમોદ આવે એવું છે.' તો કહે, “માનો કે ગુરુદેવને જાન લિયા ઓર ગુરુદેવકો પ્રમોદ ભી આયા, (તો) મેરે આત્માકો ક્યા ફાયદા હોગા ?” ઠીક ! હું તો સ્વાર્થી છું! મને ક્યાં લાભ થાય, એટલું જોઉં છું ! બીજાં મને ધર્મ અને સારો જાણશે, તેથી મારા આત્માને કોઈ લાભ થશે એવું તો બનતું નથી. એવું ન બનતું હોય તો એમાં મારું પ્રયોજન નથી. એ પ્રયોજન વગરના કાર્યમાં મને રસ નથી. મને મારા પ્રયોજનભૂત કાર્યમાં રસ છે. (એટલે કે મને આત્મશાંતિ