SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ [પરમાગમસાર-૨૫૧] એટલે એમ કહે છે કે એવો અહંકાર કરતો થકો મિથ્યાત્વભાવને દઢ કરે છે અને નિશ્ચય સ્વરૂપ મોક્ષમાર્ગ. નિશ્ચયસ્વરૂપ મોક્ષમાર્ગ એટલે અંતર્મુખ જે મોક્ષમાર્ગ અથવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ જે મોક્ષમાર્ગ તેને ..લેશમાત્ર પણ જાણતો નથી. એનું એને તદ્દન અજ્ઞાન વર્તે છે, એમ કહેવું છે. જે જીવ બાહ્ય પરિણામમાં અથવા શુભ પરિણામ થવાના કાળે કર્તા થઈને પરિણમે છે તે જીવ મોક્ષમાર્ગને જાણતો પણ નથી, ઓળખતો પણ નથી. કોઈ એમ કહે છે કે દયા, દાન, પૂજા, ભક્તિ વગેરેનાં પરિણામ તો મોક્ષમાર્ગી જીવને જોવામાં આવે છે. મોક્ષમાર્ગી જીવ પણ એવા પરિણામ કરે છે, એમ દેખાય છે. અમે પણ એવા પરિણામ કરીએ છીએ. (તો) કહે છે કે એ બે પ્રકારના શુભભાવમાં બહુ મોટું) અંતર છે. મિથ્યાષ્ટિ જીવ કર્તા થઈને કરે છે અને ધર્મીને - મોક્ષમાર્ગી જીવને તે પરિણામ અકર્તાભાવે થાય છે. “કરે છે એમ વાત એને લાગુ પડતી નથી. કરવાનો અભિપ્રાય નથી છતાં પરિપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત નહિ થઈ હોવાથી, પુરુષાર્થની કચાશને લઈને અસ્થિરતા ઊભી થતી હોવાથી તે અસ્થિરતામાં હેયબુદ્ધિએ તેને થઈ આવે છે. કરવા છે એ પ્રકારે છે નહિ, થઈ આવે છે. એક માણસને દંડ આપો તો એ પરાણે દંડને ભોગવે પણ એનો અર્થ એમ નથી કે એને એ શિક્ષા ભોગવવાની હોંશ અને રસ છે–એમ લઈ શકાય નહિ. એમ જેણે પોતાના પૂર્ણ વીતરાગ સ્વરૂપને શ્રદ્ધયું છે, પોતાના પૂર્ણ વિતરાગ સ્વરૂપને જાણ્યું છે અને એ પોતાનું પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ જ જેને ઉપાદેય છે . એકાંતે ઉપાદેય છે, તેને એ વીતરાગ સ્વરૂપથી વિરુદ્ધ એવા રાગાદિભાવો ઉપાદેય છે એ વાત તો રહેતી નથી. છતાં એને થાય છે. (જેને) થાય છે એ મોક્ષમાર્ગમાં ઊભો છે, મોક્ષમાર્ગને એ જાણે છે, એને મોક્ષમાર્ગથી અજ્ઞાન છે, એમ ન કહી શકાય. પણ જે પર્યાય દૃષ્ટિએ કર્તા થઈને પરિણમે છે અને ઊલટું ઉપર છોગુ ચડાવે છે . એનું અભિમાન કરે છે કે નહિ, આ તો મેં બીજા નથી કરતાં એના કરતાં પણ ઘણું સારું કર્યું છે. એવા જીવને તો મિથ્યાત્વ દઢ થાય છે. મિથ્યાત્વ દઢ થાય છે એમ નહિ (પણ નિશ્ચય મોક્ષમાર્ગને એ જાણતો પણ નથી). ભલે આખું જગત એને ધર્મી જીવ છે એમ કહેતું હોય કે, આ બહુ ધર્મ કરે છે, ઘણો ધર્મ કરે છે, એટલાં ધર્મનાં પરિણામ કરે છે કે
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy