SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ - ક મ . . કહાન રત્ન સરિતા ૨૨૯ કર્તા થાય છે, એનો અર્થ એ છે કે એમાં અભેદબુદ્ધિ કરીને અભેદતાએ પરિણમે છે. પુરા મમત્વથી પરિણમે છે અને એ પરિણામમાં - એવાં મમત્વ વાળા પરિણામ કરીને ઊલટાનું એના ઉપર જેમ શિખર ઉપર ધજા ચઢાવે (પછી કહે કે, જુઓ ! અમારો ધ્વજ ફરકે છે ! એમ પછી અહંકારનો ધ્વજ ફરકાવે છે કે બીજા નથી કરતાં એવું હું કરું છું ! બીજાં આટલું દાન નથી દેતાં એના કરતાં હું દઉં છું એ પ્રમાણમાં વધારે છે. બીજાં સ્વાધ્યાય કરવા આવતાં નથી, હું તો રોજ સ્વાધ્યાય કરવા આવું છું. ઠીક ! આ અહંકારનો ધજાગરો બાંધે છે !! ધજા ફરકાવે છે ! એક તો પુણ્યના પરિણામમાં કર્તા થઈને મમત્વ કરે છે અને એના ઉપર અધિકતા કરે છે કે બીજા કરતાં હું વધારે સારો ! - એ અધિકાઈ કરે છે. બીજા કરતાં પોતે કંઈક અધિક છે એવો અહંકાર કરતો થકો મમત્વ ને અહંપણું ને મમપણું બેય કરે છે. તે જીવ મિથ્યાત્વભાવને કરે છે એમ નહિ. અબ્દઢ કરે છે.” ઠીક ! પણ રોજ સ્વાધ્યાય કરવા આવે ને મિથ્યાત્વને દઢ કરે? કે હા ! સ્વાધ્યાય કરવા આવે અને વિપરીત બુદ્ધિ કરીને ગૃહતમિથ્યાત્વને દઢ કરે. ગૃહીત કરે અને ગૃહીતને પણ એ દઢ કરે ! જાવું ક્યાં પણ હવે ? જાવું આત્મામાં. આ સિવાય બીજો કોઈ ઉપાય છે નહિ. આ વિષયમાં એક બહુ સ્પષ્ટ ખ્યાલ કરવા જેવો આ છે કે જેટલાં કોઈ બહિર્મુખ પરિણામ છે, જેટલાં કોઈ બહિર્મુખ ભાવ છે તે આત્માનાં અંત:તત્ત્વ સ્વરૂપથી ઊલટી દિશાનાં પરિણામ હોવાથી, તે કર્તવ્ય છે એ વાત ધર્મના પ્રકરણમાં નથી. શું ? આત્મા જે અંતતત્ત્વ સ્વરૂપ છે, પરમાત્મ તત્ત્વ છે, સાક્ષાત્ સિદ્ધપદ છે તે અંતર્મુખ પરિણામ દ્વારા અનુભવમાં આવે છે અને તેથી એકાંતે અંતર્મુખ પરિણામ કરવાનો આદેશ અને ઉપદેશ છે. વૈતરાગમાર્ગમાં તો અંતર્મુખ પરિણામ કરવાનો ઉપદેશ છે. તે અંતર્મુખતા છોડીને જેટલું પણ બાહ્ય પરિણમન છે . બહિર્મુખ ભાવ છે તે છોડવા જેવું છે અથવા કર્તવ્ય નથી. એટલી વાત સાવ સ્પષ્ટ છે. બે દિશા છે . અંતર્મુખ અને બહિર્મુખ. એમાં અંતર્મુખ દિશામાં જ વળવું, આગળ વધવું, વિકાસ કરવો, પૂર્ણ થવું. બહિર્મુખતા છોડવી, એક સાથે ન છૂટે તો ક્રમશઃ પણ છોડવી. પણ શ્રદ્ધાન, જ્ઞાનમાં એ વાત સ્પષ્ટ છે કે કરવા જેવું નથી. જે છોડવા જેવું છે તે કરવા જેવું નથી, એમ. આજ ના'
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy