SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ પિરમાગમસાર-૨૫૧] છે તે તારે કરવું ! ભગવાન કરે છે તે તારે કરવું કે ભગવાન ન કરે તે તારે કરવું ? સિદ્ધ પરમાત્મા દયા–દાન-પૂજા-ભક્તિ-યાત્રા ને પ્રભાવના કરે છે ? નથી કરતાં. પહેલાં કરતા હતાં ? હા, પહેલાં કરતાં હતાં. એ કરતાં કરતાં એમણે છોડ્યા કે વધાર્યા ? છોડ્યાં. બસ ! તો તું અત્યારે કરતો હો તો તું પણ એને છોડી દે. છોડી દે એટલે તારા વીતરાગ ધર્મમાં તું લીન થા, વીતરાગી આત્મામાં લીન થા, એમ અહીંયા કહેવા માગે છે. પર્યાયદૃષ્ટિવાળો જીવ - એ પર્યાયદષ્ટિ કહો કે મિથ્યાષ્ટિ કહો બને એકાળું છે). પર્યાયદૃષ્ટિમાં જીવને જે તે સમયે, જે જે ઉદયીકભાવની પર્યાય થાય છે, તેવો . તેટલો હું એમ પોતાને તેવા ઉદયભાવે એટલે રાગાદિ ભાવે એટલે કે સકષાય પરિણામે એવો હું એમ સ્થાપે છે, તેને પર્યાય દૃષ્ટિવાળો કહેવામાં આવ્યો છે, અથવા એ ક્ષણ ક્ષણની પર્યાય લીધી, અથવા ચારગતિમાં જે પર્યાયે જન્મ્યો છે તેવો હું, તે પણ પર્યાય દૃષ્ટિ છે. અત્યારે હું મનુષ્ય છું એમાં મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, રાજા છું, રંક છું, શેઠીયો છું, પંડિત છું, મૂર્ખ છું, ગૃહસ્થી છું, ત્યાગી છું - એવાં જેટલાં કોઈ ઉદયીકભાવરૂપ સ્થિતિનાં પરિણામ છે, એવો છું . એ બધું પર્યાય દૃષ્ટિમાં જાય છે. એ પર્યાયદષ્ટિ કહો કે મિથ્યાષ્ટિ કહો બધું એકાર્ય છે. ને એવો જીવ દયા–દાનનાં પરિણામ કરે ત્યારે એનો કર્તા થાય છે, પૂજાભક્તિનાં પરિણામ થાય ત્યારે એનો કર્તા થાય છે, યાત્રા-પ્રભાવના વગેરે અનેક પ્રકારનાં શુભભાવો થાય તે શુભભાવોનો કર્તા થાય છે. કર્તા થાય છે એટલે શું ? અભેદબુદ્ધિએ તેને હું કરું છું . એવો એ અનુભવ કરે છે. મેં પૂજા કરી, મેં ભક્તિ કરી, મેં દયા પાળી ને મેં દાન દીધું . એવા શુભરાગના પરિણામમાં અભેદભાવે એટલે કે પૂરા મમત્વથી, અભેદભાવે એટલે પૂરા મમત્વથી એ પરિણમે છે ત્યારે એ કર્તા થયો. એને એવો અનુભવ થાય છે કે “આ મેં કર્યા, એ મારું કાર્ય, એ મારું ઇષ્ટ કાર્ય.” “કર્તાનું ઈષ્ટ તે કર્મ' આ મારું ઇષ્ટ કાર્ય, ઇષ્ટ એટલે ભલું થવાનું કાર્ય અને એનો હું કરનારો. કર્તા-કર્મ અભેદ તત્ત્વમાં હોય છે. જુદાં-જુદાં તત્ત્વમાં કર્તા-કર્મની પરિસ્થિતિ નથી. હવે, આ જે શુભનાં પરિણામ છે તે અન્ય તત્ત્વ હોવા છતાં એનો
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy