________________
“ભાઈ ! સંયોગોનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું : ફેર પડ્યો? બહારમાં ઓછા-વધતા સંયોગો હોય એનું લક્ષ છૂટી જાય. અને કષાય મંદ હોય કે તીવ્ર હોય તેનું પણ છે લક્ષ છૂટી જાય, અને તારો પર્યાય ચૈતન્ય વસ્તુને પકડીને પરિણમે ત્યારે મિથ્યાત્વનો ત્યાગ થાય એ ખરો ત્યાગ છે.' ૨૪૮.
•
0.
પ્રવચન-૨૨, તા. ૨૨-૫-૧૯૮૩
(પરમાગમસાર, બોલ-૨૪૮) “ભાઈ ! સંયોગોનો ત્યાગ થયો એમાં તારી પર્યાયમાં શું ફેર પડ્યો?” સંયોગોનો ત્યાગ થયો એટલે આ સધનતામાંથી નિર્ધનતા આવી અથવા પરિવારના કોઈપણ સભ્યની ગેરહાજરી થઈ, અનઉપસ્થિતિ થઈ અથવા આ શરીરનું વજન ઘટી ગયું - લ્યો ! આ (પણ) સંયોગ છે ને ? પુષ્ટ શરીર હોય લઠ્ઠ જેવું. ઘસાતું ઘસાતું દુબળું થઈ જાય, હાડકાં ચામડાં રહી જાય અથવા અવસ્થાને કારણે શિથિલ થઈ જાય, કરચલી પડે છે ને બધે? સોનું ખાય તો પણ કરચલી પડે હોં ! તો કહે છે કે એમાં તારી અવસ્થામાં શું ફેર પડ્યો ? તારી જે અવસ્થા (એટલે કે જ્ઞાનમાત્ર - માત્ર જાણવું, એવી જાણવાંરૂપ જે તારી અવસ્થા એમાં શું ફેર પડ્યો છે?
મન - - -