SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ riા કેમ કહાન રત્ન સરિતા ૧૯૯ એટલે થોડોક આગળનો વિચાર કર ! આગળનો વિચાર કર (એમ) નહિ પણ આખા ભવિષ્યનો વિચાર કર, અહીં તો એમ કહે છે). જો તારામાં વિવેક હોય તો અનંત કાળના ભવિષ્યનો તું વિચાર કર ! અને અત્યારે જ દેહાત્મબુદ્ધિ છોડ ! એમ કહેવું છે. જો એટલી હદે તું આવ્યો (એટલે કે) દેહથી ભિન્ન આત્માના અનુભવમાં આવ્યો તો તારી બલિહારી છે !! ભગવાન કહે છે કે, એવું પરાક્રમ કરવા માટે અમે તને શાબાશી અને ધન્યવાદ આપીએ છીએ ! દુનિયાના Certificate ની હવે તારે જરૂર નથી. કોઈ સમ્યફદૃષ્ટિ એવાં હોય કે એને બહારમાં યશ નામ કર્મનો ઉદય ન હોય. મિથ્યાદૃષ્ટિને એવા યશ નામ કર્મનો ઉદય હોય કે ચારે કોરથી વાહ..વાહ.. થતી હોય ! સમ્યદૃષ્ટિને શું વિચાર આવે ? ત્યાં એ શું વિચાર કરે ? એ એવો વિચાર કરે કે, ભગવાનનાં જ્ઞાનમાં તો મને ધન્યવાદ મળી ચૂક્યાં છે !! આ જગતના મિથ્યાષ્ટિઓ મને ન ઓળખે તો એ તો એક સારી વાત છે કે જેને લઈને એ લોકોનો મને ઉપદ્રવ પણ રહેશે નહિ! એ તો ઉપદ્રવ છે. બીજાં જીવોની સાથે સંયોગમાં રોકાવું પડે એ તો મોટો ઉપદ્રવ છે. એ ઉપદ્રવથી (હું) છૂટીશ. સોગાનીજી સાથે શરૂઆતમાં અંગત પરિચય થયો ત્યારે પહેલે વર્ષે તો નહિ પણ બીજે ત્રીજે વર્ષે એમને ખ્યાલ આવ્યો કે, કદાચ અહીંયા ધાર્મિક મુમુક્ષુઓમાં પણ મારા વિષે કાંઈક વાતચીત થાશે તો અનેક જણાનો પરિચય વધશે અને એ મને એકાંત સેવવાવાળાને પસંદ નહિ પડે, અનુકૂળ નહિ રહે. સાધના માટે અનુકૂળ નથી, નિમિત્ત તરીકે હોં બાકી એ કાંઈ નડતા નથી, પણ નિમિત્ત તરીકે એનો વિવેક છે. એકવાર કહે છે, “મેં આપસે આશા કરતા હૂં કિ મેરે વિષયમેં આપ કિસીકો કુછ નહીં કહેંગે.” વચનબદ્ધ કર્યું. “મારા માટે તમે કોઈને કાંઈ નહિ કહો એવી હું આશા રાખું છું. ઠીક ! એટલે એમના વિશે ક્યાંય વાત ન કરવી એમ નક્કી કર્યું. છતાં ઉદય કોઈને છોડતો નથી. વાત જેટલી હદે બહાર આવવાની હતી તે કાળે તેટલી હદે આવી ને ત્યારપછી જેટલી હદે આવવાની હતી તેટલી હદે આવી. પણ સાધકની ભાવના સાધનાને અનુકૂળ થાય એવી હોય છે. એમાં બહારનાં માન-અપમાનની તણખલાં જેટલી પણ કિંમત તેમને આવતી નથી. મનુષ્ય પર્યાયમાં માને તો મારી નાખે છે ! અને માનને લઈને મોટા મોટાં 1 - - આ રા:નક ક ઇ જ નાનકડાક:-- : ..* * * *કેન -1 - - - - - - - * r . '' ''.. .
SR No.007193
Book TitleKahan Ratna Sarita
Original Sutra AuthorN/A
AuthorVitrag Sat Sahitya Prasarak Trust
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2002
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy