________________
[પરમાગમસા૨-૨૪૨]
બીજો એક Practical વિષય આમાં વિચારવા જેવો છે કે, જ્યારે કોઈપણ પદાર્થના વિયોગના કાળે દુઃખ થાય, પછી એ ગમે તે પ્રકારનો વિયોગ હોય, એ વિયોગના કાળે દુઃખ થાય તો આ દૃષ્ટિએ વિચારે તો એને સીધું સમજાય છે કે આ દુઃખ કેમ થયું ? આ જરાક અંદર તપાસવાનો વિષય છે. (તપાસતાં) એને સ્પષ્ટ ખ્યાલ આવશે કે, આ પદાર્થનાં સંયોગ વખતે જેટલી મીઠાશ, જેટલો સુખનો અનુભવ કર્યો હતો, એનું આ Reaction (પ્રત્યાઘાત) આવ્યું છે, એનું આ Reaction છે. એ સમજી શકાય એવો વિષય છે.
૧૮૦
એટલે અહીંયા ગુરુદેવશ્રી એ સમજાવે છે કે, જેણે જીવન કાળમાં સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે,...' સાથે જ્ઞાન કર્યું છે - એમ નહિ પણ ‘ભાવ્યો છે' એમ (શબ્દ) આવ્યો છે. કેમકે સંયોગને અનુકૂળતાની ભાવનાથી જીવ ભાવે’ છે. તો એણે સંયોગના કાળમાં વિયોગને ભાવવો’ જોઈએ, એમ કહે છે. ભાવના પ્રધાનતાથી એ વિષયને સમજવો જોઈએ. જેમ સંયોગ આવે ત્યારે અંદર અનુકૂળતાઓની ભાવના (અર્થાત્) લાગણીઓ ઉત્પન્ન થાય છે. ભાવના છે એ લાગણી - Feelings છે. એવું જે અહીંયા, એ જ કાળમાં વિયોગની ભાવના ઉત્પન્ન થાય તો એ વખતે એને કૃત્રિમ સુખ ઉત્પન્ન ન થાય. ત્યાં એની જ્ઞાનની દશા એકદમ સ્થિર અને ખુલ્લી રહી જાય છે. જ્ઞાન તો એનું ત્યારે ગડબડવાળું થાય છે કે, કાં (તો) એ અનુકૂળતાના રાગના પ્રવાહમાં ખેંચાઈ જાય છે અને કાં પ્રતિકૂળતાના દ્વેષના પ્રવાહમાં એ ખેંચાઈ જાય છે, ત્યારે એની બુદ્ધિમાં - જ્ઞાનમાં ગડબડ થાય છે. પણ જો એ અનુકૂળતાના સુખના કારણમાં વિયોગને ભાવતા જ્ઞાનને સ્થિર રાખે તો એણે અનુકૂળતામાં પણ એના વિયોગની ભાવના ભાવી છે. તેથી વિયોગ થતી વખતે તેના વિયોગના કાળે એને ખેદ નહિ થાય. તેના વિયોગના કાળે એને ખેદ નહિ થાય.
આ વેપારનો એક દાખલો વિચારવા જેવો છે કે, માલ ખરીદિએ છીએ એની સામે રૂપિયાનું Payinent કરવું પડે છે, ત્યારે એ પૈસાની તિજોરીમાંથી વિયોગ થાય છે, Bank alance માંથી વિયોગ થાય છે પણ દુ:ખ નથી થતું. થાય છે ? (નથી થાતું). માલ આવ્યો ત્યારે હ૨ખ થયો હતો ? નહિ. (કેમકે) ખબર છે કે આ માલ આવ્યો છે એની સામે. સાંજે એનું Payment કરવાનું છે. ન તો માલ આવતી વખતે હરખ છે અને ન તો પૈસા જાય