________________
કહાન રત્ન સરિતા
૧૭૯
છે. આ વિજ્ઞાનનો નિયમ છે 'Action and reaction are equal and opposite'. જ્યારે કોઈ સંયોગના સુખનું Action કરે છે - એ Action એટલે કાર્ય છે, ત્યારે વિયોગના દુઃખને એ નિવારી ન શકે એવી પરિસ્થિતિ છે. એ દુઃખને નિવારવા માટે એને આત્મશાંતિ અને આત્મિકસુખ ઉત્પન્ન કરીને, સંયોગના કૃત્રિમ સુખને નહિ ભોગવવાની અહીંયા શિખામણ આપવામાં આવે છે. આટલી વાત છે.
સુખ બે જાતના, ઠીક ! દુનિયા આખીને સુખનો Problem છે સમસ્યા છે. છે કે નહિ ? આ ‘વિજ્ઞાન' છે, હોં ! આમ ધર્મ' કહેવાય છે પણ ધર્મને લોકો એમ સમજ્યા છે કે રુઢિ-રિવાજ તે ધર્મ છે. જૈનધર્મનું એ સ્વરૂપ નથી. રુઢિ - રિવાજરૂપ જૈનધર્મનું સ્વરૂપ નથી. જૈનધર્મ તો આત્મા એટલે ચૈતન્ય પદાર્થ અને જડ એટલે અચેતન પદાર્થ, એ બન્નેનું વિજ્ઞાન છે અને બન્નેની અવસ્થાઓ Action - અરસપર્સમાં એકબીજાંને એકબીજા ઉપર શું અસરકર્તા છે અને શું અસરકર્તા નથી ? એના ગુણધર્મોનું એ વિજ્ઞાન છે . Science છે.
અહીંયા એમ કહે છે કે, સુખ છે એ જીવની એક અવસ્થા છે. સુખ અને દુઃખ એ જીવની અવસ્થા છે અને જીવ એને ભોગવે છે. તો દુઃખને તો જગતનો કોઈ પ્રાણી ઇચ્છતો નથી. આ નિર્વિવાદ વિષય છે. સુખને સર્વ પ્રાણીઓ ઇચ્છે છે, એ પણ નિર્વિવાદ વિષય છે. તો અહીંયા ચર્ચા એટલી છે કે, સુખની જાતિ કેટલી ?
સાસ. અા
સુખની મુખ્ય બે જાતિ છે. એક કૃત્રિમ જાતિ છે અને એક અકૃત્રિમ જાતિ છે, એ અહીંયા જૈનધર્મના વિજ્ઞાનનો વિષય છે. સંયોગના આધારે જે સુખ ભોગવવામાં આવે છે, સંયોગના લક્ષે, સંયોગના નિમિત્તે, સંયોગના કારણે, અનુકૂળતાઓના કારણે, અનુકૂળ સંયોગોને કા૨ણે જે સુખ ભોગવવામાં આવે છે એને કૃત્રિમ સુખ કહ્યું છે અને કોઈ પણ જાતના સંયોગ વિના આત્મામાંથી ઉત્પન્ન થતું જે આત્માનું સુખ ભોગવવાનો એક પ્રકાર છે, એને અકૃત્રિમ અથવા શાશ્વત અથવા સહજ કુદરતી - સુખ કહેવામાં આવે છે. (માટે) અહીંયા જે વિષય છે પ્રસ્તુત વિષય છે એમાં એમ કહે છે કે, સંયોગના કાળમાં ઉત્પન્ન થતું જે કૃત્રિમ સુખ છે, એ કૃત્રિમ સુખ તને ભવિષ્યના દુઃખનું કારણ (છે). અત્યારે જ (એ કારણ) ઊભું થાય છે.
ન નન
-