________________
૧૭૮
[પરમાગમસાર-૨૪૨] શારીરિક પરિશ્રમ ન કર્યો હોય (તોપણ થાક લાગે છે).
એનો અર્થ એ છે કે, હરખના પ્રસંગમાં પણ અન્ય કાર્યોની ઉપાધિ અને આકુળતા, હરખમાં એ ગૌણ કરે છે એટલે તે કાળે એને ખ્યાલ નથી આવતો, પણ પાછળથી અનુભવ થાય છે કે, હાશ ! હવે નિરાંત થઈ ! એટલે ખરેખર તે હરખના પ્રસંગમાં કલ્પેલું સુખ ઉપાધિ અને આકુળતા સહિતનું હતું, એમ ન્યાયથી અને વિચારથી સમજી શકાય છે.
અહીંયા જ્ઞાની એવાં સુખમાં લઈ જવા માગે છે કે, એને ઉપાધિનું સુખ નહિ પણ નિરુપાધિક સુખ મળે ! અને એ સુખ ક્ષણિક પ્રસંગ પૂરતું નહિ. પણ શરૂ થાય ત્યારથી અનંત કાળ પર્યત (મળતું જ રહે). આ જીવનમાં અને જીવન બદલ્યા પછી બીજાં ભવમાં જાય તોપણ એને ચાલુ રહે અને ભવિષ્યના અનંત કાળ પર્યત ચાલુ રહે. શાશ્વત એવો જે જીવાત્મા એ જ્યાં સુધી શાશ્વત રહે ત્યાં સુધી એને એના સુખનો કોઈ સવાલ ઊભો ન થાય, એવાં શાશ્વત મૂળ સાચાં સુખનો અહીંયા ઉપાય છે અને એમાં સંયોગના કાળે સંયોગની મીઠાશનું સુખ ન ભોગવે, ન ત્યે તોપણ એને એ કાળે આત્માની શાંતિનું સુખ ઉત્પન્ન થઈને એ સુખ ભોગવવાનું મળે. એટલે કે એના (માનેલાં) સુખનો ભોગ નથી લેવાતો પણ એની ઉપાધિનો ભોગ લેવાય છે ! એની સામે શાંતિ મળે છે. એવો આ ઉપાય છે. તેથી આ ઉપાય(ને) અને આ માર્ગને “સુંદર માર્ગ' કહેવામાં આવ્યો છે !! - શાસ્ત્રમાં એવી ગાથા આવે છે (કે) આવો આ સુંદર માર્ગ છે, એની હે જીવો ! તમે પ્રશંસા કરો ! તમે અનુમોદન કરો ! તો તમને એ માર્ગની નજીક જવાનું બનશે !!
એટલે એક બહુ સરસ વાત અહીંયા લીધી છે કે, જે જીવોએ . જે આત્માઓએ જીવન કાળ દરમ્યાન સંયોગનો વિયોગ સાથે જ ભાવ્યો છે, સંયોગ થવાના કાળમાં જ એણે એના વિયોગનું ભાન રાખ્યું છે કે, આ સંયોગ પણ એકવાર છૂટવાનો છે. તેથી મને એ અનુકૂળતાઓનો સંયોગ થયો તોપણ એના હરખમાં મારે છલકાવા જેવું નથી ! નહિતર વિયોગમાં એનું Action નું Reaction દુઃખમાં) આવ્યા વિના રહેશે નહિ. આ Science નો નિયમ છે . આ વિજ્ઞાનનો નિયમ છે.
'Action and reaction are equal and opposite.' 34191 215 6244