________________
છે જે બહારની સગવડતા એને સગવડતા માને છે, બહારની
અગવડતા એને અવગડતા માને છે, તે પ્રગટપણે ભગવાનને • (આત્માને શરીર સ્વરૂપ જ માને છે.' ર૨૦.
પ્રવચન-૧૨ તા. ૧૫-૪-૧૯૮૩
પરમાગમસાર, પાનું ૬૧. ૨૨૦ નંબરનો બોલ). જે બહારની સગવડતા એને સગવડતા માને છે, બહારની અગવડતા એને અગવડતા માને છે, તે પ્રગટપણે ભગવાનને આત્માને) શરીર સ્વરૂપ જ માને છે. કેવો તાત્ત્વિક ન્યાય કાઢ્યો છે ! આખા જગતમાં બધાં પ્રાણીઓ બહારની અગવડતાસગવડતાને અનુસરીને પ્રવૃત્તિ કરે છે. ત્રસજીવ માટે પણ એમ કહેવાય છે કે જરાક ત્રાસ પડતાં તે ત્યાંથી ખસી જાય છે). બેઇન્દ્રિય જીવ હોય, (એ) જ્ઞાન ઘણું બિડાયેલું છે. એકેન્દ્રિયને ભાન નથી, સ્થાવર - ત્રસમાં છે, પણ ભાન નથી. પણ બેઇન્દ્રિય જીવ જરાક ત્રાસ પડતાં એટલે બહારમાં પ્રતિકૂળતા થતાં ત્યાંથી ખસે છે. (એમ) ત્રાસનું જેને જ્ઞાન થાય છે, બહારમાં પ્રતિકૂળતા જેને પ્રતિકૂળતારૂપે ભાસે છે. ત્યાંથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય પર્વતના જીવો, બહારની અનુકૂળતા અને પ્રતિકૂળતાને (એટલે કે, તે સંયોગની જ અનુકૂળતા અને પ્રતિકૂળતા સમજે છે, પોતાના પરિણામને સમજતા નથી, પોતાના જ્ઞાન-અજ્ઞાનને અથવા રાગ-દ્વેષ-મોહને જે સમજતાં નથી, પણ માત્ર