________________
કહાન રત્ન સરિતા:
૧૧૩ નથી. એણે ત્યાં વિસામો લીધો છે, જે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં વિસામો લીધો છે. આખા આત્માને એ ઠગે છે. ' એ પરમાત્મ-પદને ઠગવાની વાત છે !! એ પ્રકાર, અહીંયા જેણે આત્મ-પ્રાપ્તિ કરવી છે, એને ઉચિત નથી અને અનુકૂળ નથી. એ અહીંયા ધ્યાન દોર્યું છે. ઘણી જગ્યાએ એવા બોલ આવે છે કે જેમાં ધ્યાન દોરે છે કે જોજે ! તું ધર્મના ક્ષેત્રમાં ચાલે છે, Line ઠીક કરજે ! નહિતર આખો આત્મા ઠગાઈ જશે !! એવી આમાં અનેક વાતો છે. (એ ૨૧૬ પૂરો થયો).
ધારણા અને વિચારમાં નિજ સ્વરૂપનો અનુભવ થઈ શકે નહીં. જેવી રીતે પરદ્રવ્ય અને પરભાવને, તે ભિન્ન હોવા છતાં જીવ ગ્રહણ કરી ઉપાધિ વેદે છે, તેવી રીતે સ્વદ્રવ્યને લક્ષણ વડે-વેદન વડે. જ્ઞાનમાં સ્વપણે ગ્રહણ કરવાથી, અનુભવ આવી શકે છે. તેથી નિમિત્ત, રાગ, પરલક્ષી ઉઘાડ, ધારણા-વગેરેની અપેક્ષા છોડીને નિજાવલોકનમાં આવવું, રુચિ વડે પદાર્થનું ગ્રહણ થાય છે.
–પૂજ્ય ભાઈશ્રી (અનુભવ સંજીવની–૮૮૭)