________________
કહાન રત્ન સરિતા :
૮૯ થયા વિના રહે નહિ. એવી જે પરિણમનની પ્રકૃતિ અને જ્ઞાની લોકસંજ્ઞા કહે છે. આ લોકસંજ્ઞાનો અર્થ છે, ભાઈ, ઠીક !
પ્રશ્ન :- અંદર અંદર એવા પરિણામ થાય ?
સમાધાન : અંદર અંદર એને એ જ પ્રકારે પરિણામ રહે કે, મને લોકો આમ જોવે તો સારું, લોકો મને આમ જોવે તો સારું, મારું ક્યાંય હીણું ન બોલાય તો સારું, મને કોઈ હીણપણે ન જોવે તો સારું. અમુક રીતે મને ધર્મી જોવે તો સારું. મુમુક્ષુ લ્યો (ને) ! આપણે આપણી વાત લ્યો ને ! પૈસાવાળાની (વાત) એકબાજુ રાખીએ). મને મુમુક્ષુ તરીકે સમજે તો સારું, મને ધર્મો સમજે તો સારું, મને જ્ઞાની સમજે તો સારું ! કહે છે કે ભાઈ ! બહુ મોટી ખામી છે. એ લોકસંજ્ઞા છે એ જેની જીંદગીનો ધૃવકાંટો છે, એટલે કે એ એનું ધ્યેય થઈ ગયું છે. જે બેયના સ્થાને હોય એને ધ્રુવકાંટો નામ આપે છે.
એટલે અહીંયા કહે છે કે જો તારે મુમુક્ષુની હરોળમાં આવવું હોય, જો તારે મુમુક્ષુની પંક્તિમાં આવવું હોય, તો જ્ઞાનીનો આદેશ એ છે કે તું તારી જીંદગીનો ધુવકાંટો પરિપૂર્ણ નિર્દોષ થવાનો - મોક્ષનું ધ્યેય બાંધજે. ધ્યેય ક્યુ ? પૂર્ણતાનું લક્ષ ! પરિપૂર્ણ નિર્દોષ થવું છે એવું જે ધ્યેય છે. એ ધ્યેય તે જીંદગીનો ધુવકાંટો હોવો જોઈએ. એને બદલે લોકસંજ્ઞા જેની જંદગીનો ધુવકાંટો છે. (આ) નાસ્તિમાંથી અસ્તિ કાઢી કે આ ન હોવું જોઈએ તો શું હોવું જોઈએ ? તે જીંદગી ભલે ગમે તેવી શ્રીમંતાઈવાળી હોય તે જંદગી ભલે ગમે તેવી સત્તાવાળી હોય કે તે જીંદગી ગમે તેટલા કુટુંબપરિવાર આદિવાળી હોય, આદિવાળી એટલે જૂથવાળી હોય, ગમે તે પ્રકારના યોગવાળી હોય તો પણ તે એકાંતે દુઃખનો જ હેતુ છે. એમાં દુઃખા મટવાનો ક્યાંય અવસર નથી અને ક્યાંય સુખ થવાનો પ્રકાર છે નહિ. |
આત્મશાંતિ એટલે આત્મિક સુખ, આત્મિક સંપત્તિ અહીંયા ગુરુદેવ જેને સંપદા કહે છે. દરેકને ભાષા પોતાની મૌલિકતાથી આવે છે. એ વિષય છે તે એક જ છે. આત્મશાંતિ જે જીંદગીનો ધુવકાંટો છે તે જીદંગી ગમે તો એકાકી હોય (એટલે કે એકલો હોય, કોઈ એને સંગ ન હોય, કોઈ
ને સાથ ન દેતું હોય, એમ કહે છે. તે એકાકી હોય, નિર્ધન હોય, નિર્વસ્ત્ર હોય, નગ્ન દિગંબર હોય છે–જંગલમાં મુનિરાજ હોય છે ને ! તોપણ તે