SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ પત્રાંક-૫૭૦ થઈ શકે એવી કોઈ સહેલી પરિસ્થિતિ પણ છે. મુમુક્ષુ ઃ– સ૨ળપણું એટલે કોરી પાટી ? પૂજ્ય ભાઈશ્રી :– હા. પૂર્વગ્રહ છોડવો પડે છે. પૂર્વગ્રહ ન છોડે તોપણ અસ૨ળપણું છે. પોતાની જૂની માન્યતા ન છોડે તોપણ અસ૨ળપણું છે. સ૨ળપણા માટે ઘણી વાત છે. પોતાના પૂર્વગ્રહને ન છોડે, પોતાએ જે કોઈ ક્રિયાને માનેલી છે એ ક્રિયાને ન છોડે, પોતાની પ્રકૃતિને ન છોડે. એ પણ અસ૨ળતામાં જાય છે. જે કાંઈ પોતાનો પ્રકૃતિદોષ હોય એ પ્રકૃતિદોષ ન છોડી શકે તોપણ એ અસ૨ળતા છે. અનેક પ્રકારે છે. અથવા બીજી રીતે કહીએ તો સમ્યગ્દર્શન એક લોકોત્તર સ૨ળતાની જ દશા છે. અત્યંત લોકોત્તર સરળતાની દશા તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે કે જેમાં અસ૨ળતા ચાલી ગઈ છે. એટલે મહાપુરુષોએ જ્યાં જ્યાં સત્સંગ અને સત્શાસ્ત્રની ઉપાસના કરવાની વાત કરી છે ત્યાં ત્યાં આ એક વાત સાથે સાથે કરી છે, કે સ૨ળતાએ કરીને સત્સંગ અને સાસ્ત્રને ઉપાસવા. અસ૨ળતા પોતામાં છે કે નહિ એનું અવલોકન કરીને હોય તો દૂર કરી નાખવી. એ પોતાના અવલોકન વગર સમજાશે નહિ. કેમકે એ પરિણામ જરા એ પ્રકારનું છે કે એ પોતાના ઉપર જ પોતાને પડદામાં રાખી દે, અંધારામાં રાખી દે. એવો એક પ્રકાર છે. માયાનો પ્રકાર છે ને ? અથવા મિથ્યાત્વ એ માયાની પ્રકૃતિ હોવાથી અસ૨ળતાનો જ એક પ્રકાર છે. મિથ્યાત્વ શું છે ? માયાની પ્રકૃતિ છે. ચાર પ્રકૃતિમાંથી મિથ્યાત્વને શેમાં લઈ જશો ? માયામાં જાય છે. માયા કહો કે અસ૨ળતા કહો. જેને મિથ્યાત્વ છોડવું છે, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે એને સ૨ળતા સૌથી પહેલા હોવી ઘટે છે. આ બહુ મુખ્ય વાત છે. = મુમુક્ષુ :– સ૨ળ ભાવને કારણે મનુષ્યપર્યાય પ્રાપ્ત થઈ. મનુષ્યપર્યાય પ્રાપ્ત થવા છતાં અહીંયા અસ૨ળતાની વૃદ્ધિ થઈ ગઈ આનું શા કારણ ? : પૂજ્ય ભાઈશ્રી :– અસરળતાની વૃદ્ધિ કરી તો એમાં એમ છે, કે તમને કોઈ ઊંચું સ્થાન તો આપ્યું. ચા૨ ગતિમાં મનુષ્યગતિ એટલે ઊંચું સ્થાન તો મળ્યું. ઊંચા સ્થાનમાં જવાબદારી વધે છે. Higher the post, higher the responsibility. પટ્ટાવાળાની અને Chairman ની એકસરખી જવાબદારી હોય નહિ. એની જવાબદારી વધે છે. જવાબદારી વધે છે તો નુકસાન પણ મોટું કરે અને નફો પણ મોટો કરે. Chairman જે નક્કી કરે (એમાં) કાં તો Bank ખાડામાં જાય અને કાં તો તરી જાય. એટલે અહીંયાં જવાબદારી વધી છે. મનુષ્યપણે આવીને જવાબદારી વધી છે. અહીંયાં અસ૨ળતા રાખે તો પાછો તિર્યંચગતિમાં જાય. માયાથી તિર્યંચ થાય. મનુષ્ય
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy