SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ રાજહૃદય ભાગ-૧૧ થઈને વિશેષ પાપ ન કરે પણ અસરળતા રહે તો તિર્યંચમાં તો જાય જ જાય. મનુષ્યની જવાબદારી વધારે છે, એનામાં તિર્યંચ કરતા વધારે સમજદારી છે. મનુષ્ય થયા પછી મુમુક્ષુ થાય તો એની જવાબદારી એથી વધારે છે. મુમુક્ષુ થાય તો એની જવાબદારી એથી વધારે છે. કેમકે આગળ આગળની એને પદવી મળે છે. જ્ઞાની થાય તો એથી વધારે જવાબદારી છે. મુનિ થાય તો એથી વધારે જવાબદારી છે. જેટલે ઊંચે જાય એટલી જીવની જવાબદારી વધે છે. સીધી વાત છે. કેમકે એમાં નુકસાન પણ મોટું, નો પણ મોટો. મુમુક્ષુ :– ‘ગુરુદેવશ્રી’ ફરમાવતા વાણિયા નરકમાં તો નહિ જાય. = પૂજ્ય ભાઈશ્રી :– હા. વેપારની અંદર શું છે અસ૨ળતા ઘણી છે. માયાચારી ઘણી કરવી પડે છે. વર્તમાન વ્યાપારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં માયાચારી ઘણી હોવાથી લગભગ મોટા ભાગના વાણિયા જેને કહેવાય એ બહુ તીવ્ર પાપ ન કરે. દારૂ, માંસ ઇત્યાદિ (ન હોય), એ નરકગતિના પરિણામ બધા ન કરે તો તિર્યંચમાં તો જાય જ. કેમકે દેવને લાયક તો કોઈ પરિસ્થિતિ દેખાતી નથી. એમ જાણીને એમ કહેતા. મનુષ્ય થવું તો બહુ મોઘું છે. મિથ્યાસૃષ્ટિ જીવને મનુષ્ય આયુ પૂરું કરે અને ફરીને મનુષ્ય થાય એ તો જવલ્લેજ બને છે. કરોડોમાં કોઈ એકાદને. બાકી એ પરિસ્થિતિ તો બહુ દૂર થઈ જાય છે. કેમ કે જે એને તક મળી એનો સદ્ઉપયોગ કરવાને બદલે એણે દુરુપયોગ કર્યો અને એ તક ફરી કુદરત એને આપતી નથી. એ પરિસ્થિતિ થાય છે. પ્રશ્ન:-... પૂજ્ય ભાઈશ્રી :- હા. જતું કરીને છોડી દેવું. જતું કરીને છોડવું. જતું કરી દેવું. પછી વાંધો નથી. આ સરળતા છે. જીદના પરિણામ છે, હઠના પરિણામ છે એ બધા માયાની પ્રકૃતિમાં જાય છે. સિદ્ધાંતને ગ્રહણ કરવામાં મક્કમતા રાખે એમાં માયા, હઠ અને જીદ નથી. પાછી એ ભેદરેખા સમજવી જોઈએ, નહિતર ઉલટું .. નાખે. કોઈ પોતાના નિર્દોષ થવાના સિદ્ધાંતમાં દૃઢ અને મક્કમ રહે તો એ કોઈ માયાચાર, હઠ કે જીદ નથી. એ અવગુણ નથી. એ ગુણ છે. ગુણને અવગુણમાં ન ખતવવો, અવગુણને ગુણમાં ન ખતવવો. એટલે અત્યંત પુરુષાર્થ થવા અર્થે સ૨ળતાએ સત્સંગ કરવો...... અને એ દિશામાં વધારે એને એની અંદર સમય અને શક્તિનો પ્રયોગ કરવો યોગ્ય છે. કે જેના પરિણામમાં...' એટલે જેના ફળ સ્વરૂપે ‘નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે.’ એમ કરતાં એનું ફળ શું આવે છે ? કે આત્મજ્ઞાનની
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy