SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ રાજહૃદય ભાગ-૧૧ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી;...' બંધ-મોક્ષની વ્યવસ્થામાં એક જૈન દર્શન સિવાય (બીજે બધે) મોટી ગડબડ છે. કેમકે એ વિધિનો વિષય છે. જે વિધિએ ધર્મ થાય અને જે વિધિએ અધર્મ થાય એ બંને વિષયમાં જૈનદર્શન સિવાય વ્યવસ્થિત વાત કોઈ સંપ્રદાયમાં, કોઈ મતમાં નથી. વેદાંત તો એક એવું દર્શન છે કે જેનો જૈનદર્શન પછી તત્ત્વજ્ઞાનમાં બીજો નંબર આવે. એટલું તત્ત્વજ્ઞાન અને ફિલસૂફી કોઈ સંપ્રદાયની અંદર વેદાંત જેટલી નથી. સૌથી વધારે જૈનમાં છે, ત્યારપછી વેદાંતમાં છે. વેદાંતમાં પછી બીજા આવી ગયા. આદિમાં નીચેના બધા આવી ગયા. શ્રી જિન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે,...' આત્મસ્વરૂપમાં કેટલીક ભળતી વાત કરે છે. આ પણ બ્રહ્મ કહે છે, આ પણ બ્રહ્મ કહે છે, આ પણ આત્મા કહે છે, આ પણ આત્મા કહે છે. એ તો અધ્યાત્મના, સમાધિના, બીજા ત્રીજા અનુભૂતિના બધા શબ્દો આવે. છતાં બંધ અને મોક્ષની જે સુવ્યવસ્થિત વાત છે એવી વાત જૈનાગમમાં છે એવી કોઈ જગ્યાએ નથી. એટલે તેવો નિર્ણય વેદાંતાકિ દર્શનમાં દૃષ્ટિગોચર થતો નથી;...' જુઓ ! આ પોતાનો વેદાંત સંબંધીનો સ્પષ્ટ અભિપ્રાય અહીંયાં છે. આ તો એમના ગ્રંથને વાંચીને પણ હજી કેટલાકને સ્પષ્ટ ખ્યાલ નથી આવતો તો આ જગ્યાએ સ્પષ્ટ કરે છે. આગળ હજી કહેશે. આગળ વધારે સ્પષ્ટ કહે છે. અને જેવું શ્રી જિનને વિષે યથાર્થવક્તાપણું જોવામાં આવે છે, તેવું યથાર્થવક્તાપણું બીજામાં જોવામાં આવતું નથી.' યથાર્થ-જ્યાં જે વાત જે રીતે કરવી. જોઈએ ત્યાં તે વાત (કરે). તો પછી આ વેદાંત તો સ્થૂળ છે. એની ભૂલ ન પકડાય એવું તો કાંઈ બને નહિ. એટલે એવું યથાર્થપણું જિનેન્દ્રના વચનોમાં છે,જિનેશ્વરના વચનોમાં છે. એ બીજે કાંય જોવામાં આવતું નથી. પૂર્વાપર અવિરોધ-જ્ઞાનીના વચનનો એમણે ખાસ ગુણ કહ્યો. એ પૂર્વાપર અવિરોધ છે. પત્રાંક) ૬૭૯માં જે વાત કરી છે. પૂર્વાપર અવિરોધપણું એ એમની વાણીનું વધુમાં વધુ સારો ગુણ હોય તો આ છે કે પૂર્વાપર અવિરોધપણું આવે છે. ‘આત્માના અંતર્યાપાર (શુભાશુભ પરિણામધારા)પ્રમાણે બંધમોક્ષની વ્યવસ્થા છે,...’ જેટલો આત્માના પરિણામમાં પદ્રવ્યની સાથે સંબંધ થાય, કર્મના ઉદયની સાથે સંબંધ થાય એટલો બંધ, જેટલો અનુદય રહે તેટલો અબંધ. એવી સ્પષ્ટ વ્યવસ્થા છે. એ પ્રમાણે બંધ-મોક્ષની સ્પષ્ટ વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી.’ આ ઉપરનો Paragraph જે છે એનો સંક્ષેપ છે. શરીરની ચેષ્ટા પ્રમાણે બંધ-મોક્ષની વ્યવસ્થા)
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy