SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૬૮ ૨૬૧ સત્સંગમાં રસ લે, સદ્વિચા૨માં રસ લે એથી વધારે આ બાજુ રસ લ્યે, અસત્સંગમાં ૨સ લ્યે એટલે પેલું બધું જે છે એ ધોવાઈ જાય છે. જેટલો સત્સંગમાં કાંઈ વિચાર કર્યો છે એ બધો નિષ્ફળ થઈ જાય છે. એવા કારણે જ હંમેશા પ્રવર્તો છે. સત્સંગ કર્યો નથી. જ્યારે જ્યારે મળ્યા છે ત્યારે પણ એની અસર નિષ્ફળ થાય એવી વાત પોતે સેવવાની ચાલુ રાખી લીધી છે. અને એ સત્સંગ આદિને નિષ્ફળ કર્યા છે, પોતે ને પોતે જ. મુમુક્ષુ ઃ– દિવસભરનો હિસાબ જોખીએ.... પૂજ્ય ભાઈશ્રી :-... સ્વરૂપમાં પરિણામ સ્થિર થાય તેને સ્વસ્થતા કહે છે, સમાધિ કહે છે. સ્વરૂપમાં પરિણામ અસ્થિર થાય અથવા ન રહે તેને અસમાધિ કહે છે. એ રીતે સમાધિ અને અસમાધિનો સિદ્ધાંત છે. અન્યમતિમાં તો આ સમાધિ લઈ લે ને ? જમીનમાં કોઈ દટાઈ છે, કોઈ બીજી રીતે. એને સમાધિ કહે છે. અથવા ધ્યાનમાં બેસે ત્યારે એ સમાધિમાં બેઠા છે એમ પણ કહેવામાં આવે છે. ખાખી બાવા છે એ લોકો ધ્યાનમાં બેસે છે. બે-બે, પાંચ-પાંચ, છ-છ, આઠ-આઠ કલાક બેસે છે. મહારાજ સમાધિમાં બેઠા છે એમ કહે. એવા અડોલ થઈને બેસી જાય. હલે કે ચલે. પદ્માસનથી બેસી જાય. એ જાતની Practice (હોય છે). ‘આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ” કહે છે આત્મપરિણામની કંઈ પણ ચપળ પિરણિત થવી તેને શ્રી તીર્થંકર કર્મ' કહે છે.’ ભાવકર્મ. શું કહે છે ? ધર્મની વ્યાખ્યા કરે છે. જેમ સમાધિ-અસમાધિની વ્યાખ્યા કરી એમ. આત્મપરિણામની સહજ સ્વરૂપે સ્થિતિ થવી. જેવું સહજાત્મ સ્વરૂપ છે, એવી જ સ્થિતિ થઈ જવી, તદાકાર પરિણામ થવા તે ધર્મના પરિણામ છે. જેવો ધર્માં આત્મા છે, એવા જ સ્વઆકારે, સ્વભાવ આકારે પરિણામ થવા એને ધર્મ કહે છે. એથી બહા૨ જઈને કાંઈક ચંચળતા થવી, ચપળતા થવી, પરિણામ છૂટી જવા અને ઉદયાકારે, પરદ્રવ્યાકારે પરિણામ થવા તેને શ્રી તીર્થંકર કર્મ કહે છે. કેમ કે એ ભાવકર્મ છે. એના નિમિત્તે દ્રવ્યકર્મનો આસ્રવ અને બંધ થાય છે. માટે એનું નામ પણ કર્મ કહ્યું. દ્રવ્યકર્મનો આસવ બંધ થવામાં જે કાર્યનું નિમિત્ત બન્યું તેને ભાવકર્મ કહે છે અને તે આત્મપરિણામની ચપળ પરિણતિ છે. સ્વરૂપમાં એ સ્થિર પરિણતિ નથી. અસ્થિર પરિણતિ થઈને પરિણામ બહાર ગયા, એને કર્મ કહેવામાં આવે છે. એ રીતે ધર્મ અને કર્મ એ બંનેની વ્યાખ્યા કરી. અહીંયાં ચાર વ્યાખ્યા કરી છે. શ્રી જિન તીર્થંકરે જેવો બંધ અને મોક્ષનો નિર્ણય કહ્યો છે, તેવો નિર્ણય વેદાંતાદિ
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy