SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રાંક-૫૬૮ ૨૬૩ નથી. એટલા માટે એ દાંત લેવામાં આવે છે. ચક્રવર્તી જ્ઞાનીના અથવા જ્ઞાનીના યુદ્ધના સંયોગોના એવા જે અશુભક્રિયા અને કષાયના ઉપયોગો, સકષાય ઉપયોગ દેખાય એવા પ્રકારે હોય છતાં પણ તે અંતર પરિણામની ધારા પ્રમાણે બંધ-મોક્ષ છે. પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન્ન થાય છે...” ઉપર રોગની વાત કરી છે ને ? એ વાત ફરીને પાછી લીધી. કે પૂર્વે ઉત્પન્ન કરેલા વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ ઉત્પન થાય છે...” રોગ ઉત્પન્ન થવાના જે કારણો છે એમાં અનેક કારણોમાં એકપૂર્વ કર્મ કારણ છે. એકવૈદ્યને પૂજ્ય ગુરુદેવના ઇલાજ માટે લાવ્યા હતા. તો તે વૈદ્યરાજને પ્રશ્ન પૂછ્યો. “રામજીભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ રોગ થવાના કારણો તમે જાણો છો ? તો કહે હા. કેટલા કારણો છે? આયુર્વેદ ભણેલા માણસ હતા. તો એણે પથ્યા, પથ્ય એવું બધું કહે ને ? એવા જે શારીરિક સંયોગિક કારણો ચાર બતાવ્યા અને એક કારણ પાછું બતાવ્યું કે પૂર્વકર્મા પ્રશ્ન-એણે બતાવ્યું. પૂજ્ય ભાઈશ્રી - હા, એમ બતાવ્યું. આયુર્વેદ ભગવાનની વાણીમાંથી ઉત્પન્ન થયેલું છે. મૂળ આયુર્વેદની વાત રહી ગઈ છે. એણે પૂર્વકર્મનું... એનું કારણ છે, કે ગુરુદેવને વર્ષોથી કોઈ પથ્યાપથ્યનો સવાલ નહોતો. ચાર રોટલી, મગની દાળ, દૂધીનું શાક, પાપડ, ભાત. ચોખ્ખું ઘી, ચોખ્ખું દૂધ, તાજા મસાલા, પાછું કાંઈ વાસી નહિ. રોજે રોજનું મરચું, બીજું, ત્રીજું બધું. કાંઈ વાસી નહિ. લોટ વાસી નહિ. કોઈ ચીજ વાસી નહિ. રોગ થવાનું કોઈ કારણ નહિ. બુદ્ધિપૂર્વક પ્રશ્ન પૂછ્યો હતો. બુદ્ધિવાળા વકીલ હતા. રોગનું કારણ શું? તમારા શાસ્ત્રમાં રોગનું કારણ શું? તો પાંચ કારણ એણે બતાવ્યા. એમાં ચાર બતાવ્યા ત્યાં સુધી તો બધા શારીરિક અને સંયોગિક કારણો હતા. હવાનું પ્રદૂષણ કારણ છે, જંતુના વાયરા વાય છે એ કારણ છે, માણસ અપથ્ય ખાય છે એ કારણ છે. એવા ત્રણ-ચાર કારણો બતાવ્યા પછી કહે એક પૂર્વ કર્મ. આવું કાંઈ ન હોય તો પણ રોગ થાય. એ પાંચમું કારણ છે. આ ચારમાંથી એકેય ન હોય છતાં પૂર્વ કર્મને લઈને રોગ થાય છે. ખુશ થઈ ગયા. વાત તો કાંઈક સમજીને કરે છે. નહિતર તો વૈદ્યને દવા ન કરવા દે. પણ એણે પહેલો જવાબ એવો આપ્યો. પહેલો પ્રશ્ન જ પૂછ્યો. આવીને હજી એણે કાંઈક બોલવાની શરૂઆત કરી એવો એક પ્રશ્ન કર્યો, પ્રશ્ન કર્યો અને આ જવાબ દીધો. પછી કહ્યું, ચાલો આને પાસ કરો હવે. વાંધો નથી. જાણે છે, કાંઈક સમજે છે. અહીંયાં એ કહ્યું કે પૂર્વે ઉત્પન કરેલાં વેદનીય કર્મના ઉદય પ્રમાણે રોગાદિ
SR No.007186
Book TitleRaj Hriday Part 11
Original Sutra AuthorN/A
Author
PublisherVitrag Sat Sahitya Prasarak Trust
Publication Year2014
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy