SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ પરમાત્મપ્રકાશ પ્રવચનો પૂનમ કયાંથી ઊગે? જેને આ માર્ગ મળ્યો છે અને સમ્યકત્વરૂપી બીજ ઊગી છે તેને કેવળજ્ઞાનરૂપ પૂનમ થયા વગર રહેતી નથી. સ્વસ્વરૂપનું સંવેદનશાન થતાં સમ્યગ્દષ્ટિને પરસ્વરૂપનું પણ યથાર્થ જ્ઞાન થઈ જાય છે કે આ કોઈ પરદ્રવ્ય, પરભાવ મારાં નથી. સ્વ-પર પ્રકાશક જ્ઞાનનું સામર્થ્ય એટલું ખીલી જાય છે. નિજ આત્માનું સ્વસંવેદનશાન ચોથા–પાંચમાં ગુણસ્થાને રહેલાં સમ્યગ્દષ્ટિ અને શ્રાવકને પણ હોય છે માટે કોઈ એમ માને કે મુનિદશામાં જ સ્વસંવેદન હોય, પહેલાં ન હોય એ વાત યથાર્થ નથી. વિષયોના આસ્વાદરૂપ રાગનું વેદન તે વીતરાગ નથી અને ચોથા–પાંચમાં ગુણસ્થાનમાં પણ જે રાગ છે તેનાથી પણ રહિત સ્વસંવેદનજ્ઞાન છે એ બતાવવા જ્ઞાનને “વીતરાગ' વિશેષણ આપ્યું છે. જીવ મૂઢ નથી. જીવ તો ચૈતન્ય બાદશાહ છે. સૂર્ય તો હજાર કિરણોવાળો હશે પણ આ ચૈતન્યસૂર્ય તો અનંત કિરણ સહિત શોભાયમાન છે. તેને ઓળખીને તેનો સ્વીકાર કર ! એક ભાઈ કહેતાં હતાં કે લોકો માથામાં પેથીએ પૅથીએ તેલ નાંખે છે પણ અહીં તો વાળ વાળે (એક એક વાળમાં તેલ નખાય છે. પણ, આ ખબર કોને પડે? જેને લગની હોય તેને ખબર પડે. જેને લગની લાગે તેને પરમાત્મા મળ્યા વિના રહે નહિ એવી વાત છે. ગોળના રવાને જ્યાંથી ચીરો ત્યાંથી ગળપણ જ નીકળે તેમ ભગવાન આત્મા આખો પૂર્ણ જ્ઞાનાનંદરસથી ભરપૂર છે તેમાં જ્યાં નજર નાંખો ત્યાં, જ્ઞાન, આનંદ અને શાંતિ જ થાય. મિથ્યાષ્ટિને અનંતાનુબંધી કષાય છે ત્યાં સુધી એકલાં વિકારનું જ વેદન છે, ત્યાં સુધી તે બહિરાત્મા છે તેને આત્માનું જ્ઞાન કે વેદન કાંઈ નથી. તે ભલે ૧૧ અંગ ને ૯ પૂર્વ ભણ્યો હોય પણ તેને સમ્યજ્ઞાન નથી, સ્વસંવેદન નથી અને સમ્યગ્દષ્ટિને ચોથા ગુણસ્થાનમાં બીજું કાંઈ પણ જ્ઞાન ન હોય તોપણ, સ્વસંવેદન જ્ઞાન છે છતાં હજી ત્રણ કષાય બાકી રહ્યા હોવાથી સમ્યગ્દષ્ટિના જ્ઞાનમાં બીજના સૂર્યની જેમ પૂનમ જેવો પ્રકાશ નથી. જેટલું જ્ઞાન છે તે જ વીતરાગી છે. સાથે રાગ છે તેટલી વીતરાગતા નથી–પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ નથી, જેટલું રાગરહિત જ્ઞાન છે તેને જ વીતરાગ વિશેષણ લાગુ પડે છે. પ્રથમ ગુણસ્થાનમાં તો આત્માનું જ્ઞાન નથી અને વીતરાગતાનો અંશ પણ નથી, એકલો રાગ અને પરલક્ષી જ્ઞાન છે. ચોથા ગુણસ્થાનમાં સ્વનું જ્ઞાન અને બીજનો ચંદ્ર
SR No.007174
Book TitleParmatma Prakash Pravachan Part 01
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy