________________
ચુડાસમા વંશ : ૯
વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે “તે ઉદારતામાં, ગંભીરતામાં, ચાતુર્યમાં અને શૌર્યમાં રત્નાકર સાગર જેવો હતો.” તેના રાજ્યમાં પ્રજા સમૃદ્ધ અને સુખી હતી. જીર્ણ દુર્ગની બજારમાં હીરા, મોતી, જવાહીર, કાપડ, દરેક પ્રકારનાં અનાજ, કઠોળ વગેરે તથા વિવિધ પ્રકારની બહુમૂલ્ય અને અન્યત્ર અપ્રાય એવી વસ્તુઓ મળતી. છર્ણદુર્ગને કિલ્લે વીર સૈનિકેથી સુરક્ષિત હતા અને તેના મકરી યંત્રની પૂપકાલિઓની ગર્જના શત્રુની સેનાને ધ્રુજાવતી હતી.'
રાહ માંડલિકે ગુજરાતના સૂબાઓ અને સુલતાનના નિરંતર ચાલતી રહેતી ચડાઈઓથી નિર્બળ થઈ ગયેલા રાજ્યને સમૃદ્ધ કર્યું હતું. શાથી અને સમજાવટથી સૌરાષ્ટ્રના અન્ય રાજાઓનું ઐકય સાધી તેમને તે અગ્રણે થયો હતા. અમદાવાદના ઊતા સૂર્યના તેજમાં ન અંજાતાં તેણે ધર્મનું અને પ્રજાનું રક્ષણ અડગ ઊભા રહીને કર્યું હતું. જે કાળમાં મંદિરોના વંસ થતા અને મૂર્તિઓનું ખંડન થતું તે કાળમાં તેણે મંદિર બાંધ્યાં કે સમરાવ્યાં અને ન્યાયનીતિથી રાજ્ય કર્યું તેમ છતાં તે પરાજિત થયો તેથી આપણા વાર્તાકારોએ અને ઈતિહાસકારોએ તેને કામી, કોબી, મૂર્ખ, અવિચારી અને કાયર રાજા તરીકે વર્ણવી મહાન રાજાને અન્યાય કર્યો છે.
રાહ માંડ લક માટે જે જુદી જુદી વાર્તાઓ પ્રચલિત થઈ છે તેમાં એક વાર્તા એવી છે કે, તેણે તેના મંત્રી વિમલશાની પત્ની મનમોહના ઉપર કુદષ્ટિ કરેલી અને તેથી વિમલે અમદાવાદ જઈ મહમૂદ બેગડાની સેરઠ ઉપર ચડાઈ લઈ આવી તેને નાશ કર્યો. વિમલ ભાઈ વિશલ રાહ પાસે રહેતા. તેણે પિતાનું વેર લેવા દુર્ગને કે ઠાર ત્વરિત ખાલી કરી નાખ્યા અને પરિણામે રાહને શરણ થવાનું અનિવાર્ય બન્યું. તારીખે સોરઠમાં મહમૂદને લઈ આવનાર વિશળ હતા એમ લખ્યું છે. તારીખે બહાદુરશાહીમાં અને મિરાતે સિકં. દરીમાં આ મંત્રીનું નામ તનહલ આપ્યું છે. આઈ નાગબાઈ
ચારણે એક બીજી વાર્તા કહે છે તે પ્રમાણે માંડલિકે મેણિયાની ચારણ આઈ નાગબાઈની પુત્રવધૂ મીણબાઈ પ્રત્યે કુદષ્ટિ કરેલી તેથી તેણે શાપ આપેલ કે તારું રાજય નષ્ટ થશે અને મુસલમાનેનું રાજ્ય થશે. આ વાર્તા ઘણા પાઠથી કહેવાય છે. તે પૈકીની અતિ પ્રચલિત અને મુખ્ય વાર્તા
1 માંડલિક કાવ્ય. 2 જુઓ “સૌરાષ્ટ્રને ઈતિહાસ”, શં. હ. દેશાઈ.