SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ચુડાસમા વંશ : ૮૭ મુકાવા જવા રવાના થશે. માર્ગમાં જીર્ણદુર્ગ આવી દામોદરકુંડમાં સ્નાન કરી બ્રાહ્મણને એક સુવર્ણ હાથી દક્ષિણામાં આપો. આ હાથીની વહેંચણીમાં બ્રાહ્મણે લડી પડયા અને ન્યાય લેવા માંડલિક પાસે ગયા. માંડલિકે જાણ્યું કે કિંજલ તેની જાણ વગર કાશીને પંથે પળે છે ત્યારે તે તરત જ તેની પાછળ પડે અને વડાલ પાસે એક કળામાં તેને પકડી પાડશે. વિંજલે રાહને પિતા પાસે ન આવવા વિનંતી કરી પણ માંડલિક તેને ભેટયો અને ભેટતાં જ વિજલને રોગ અદશ્ય થયો. ત્યારથી આ વોકળ ગંગાજળિયે કળા કહેવાય છે.' આ વાર્તા લેકસાહિત્યમાં રાહ માંડલિક ત્રીજા માટે કહેવાય છે પણ કિંજલ વાજે માંડલિક બીજાને સમકાલીન હતા તે સેંધવું આવશ્યક છે. મેલિંગદેવ માંડલિક ઈ. સ. ૧૪૬૦માં અપુત્ર ગુજરી જતાં તેને ભાઈ મેળગ કે મેલિંગદેવ તેને અનુગામી થયો. દિહીને તઘલગ વંશની સત્તા મૃત્યુશગ્યા ઉપર અંતિમ શ્વાસ ઘૂંદતી હતી ત્યારે ગુજરાતના સૂબા મુઝફફરને તેના પુત્ર તાતારખાને દિલ્હી જઈ સલ્તનતને તાજ પોતાના શિરે મૂકવા આગ્રહ કર્યો પણ સુઝફફરે તેને પ્રસ્તાવ નકારતાં તાતારખ ને તેના પિતાને કેદ કરી તે સુલતાન તરીકે જાહેર થયે. મુઝફફરના ભાઈ સશખાને દિલ્હીથી આવી મુઝફફરને મુક્ત કર્યો અને તાતારખાનને કેદ કર્યો. મુઝફફરે તાતારખાનને મારી નાખ્યો અને ઈ. સ. ૧૪૦૭માં તેણે ગુજરાતના સુલતાન તરીકે સ્વતંત્ર શાસન કરવાનું શરૂ કર્યું. આ અંધાધૂંધીને લાભ લઈ મેલિંગદેવે જૂનાગઢના શાહી થાણદારને કાઢી મુકો તથા મુસ્લિમોને વશ કરી લીધા. મેલિંગદેવે રાજધાની પણ જૂનાગઢ ફેરવી નાખી અને ઇ. સ. ૧૪૧૩ સુધી નિરંકુશપણે રાજ કર્યું. ઈ સ. ૧૪૧૧માં તાતારખાનના પુત્ર અહમદશાહે તેના વૃદ્ધ પિતામહને આ જગતની યાતનામાંથી મુક્ત કરી તેના પિતાના ઘાતને બદલે લીધે તે પછી તેના બળવાખોર સરદાર શેર મલિકને રાહે આશ્રય આપ્યો હતો તેથી તેને રિક્ષા કરવા ઈ. સ. ૧૪૧૩માં સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. 1 ગંગાજળ ગદ્દેશા પંડ તારું હતું પવિત્ર, વિં જાને રગત ગયાં અને તે વાળો માંડલિક.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy