________________
૮૪ : જૂનાગઢ અને ગિરનાર
કરણ હાર્યો અને પાટણ પડયું. અલાઉદ્દીનનાં સૈન્યએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસીમ ત્રાસ અને જુલમની ઝડી વરસાવી, આગ અને તલવારનું સામ્રાજ્ય સ્થાપી દીધું અને સોમનાથનું પવિત્ર દેવાલય પણ ખંડિત કર્યું. અલપખાન જીર્ણદુર્ગ આવ્યે નહિ પરંતુ રાહ તેના સામે લડ્યો હશે એમ રેવતીકુંડના શિલાલેખમાં તેને મુસ્લિમોને વિજેતા કહ્યું છે તે ઉપરથી જણાય છે.'
માંડલિકે ગિરનાર ઉપરનાં શ્રી નેમિનાથના મંદિર ઉપર સેનાનાં પતરાં જડાવ્યાં અને બીજાં મંદિરને જીર્ણોદ્ધાર કર્યો. નવઘણુક થે
માંડલિક પહેલે ઈ. સ. ૧૩૦૬માં ગુજરી ગયો અને તેને પુત્ર નવઘણ ગાદીએ આવ્યા. મુસ્લિમોનાં પ્રબળ અને વિરાટ ને સોરઠને પાદાક્રાંત કરી . રહ્યાં હતાં અને તેનાં ટાંચાં સાધનથી સ્વધર્મની રક્ષા કરવાને ધર્મ બજાવવાનું તેના ભાગ્યમાં આવ્યું હતું. આ વર અને પરાક્રમી રાજા રાણપુરની લડાઈમાં ઈ.સ. ૧૩૦૮માં ઝફરખાન સામે લડતાં માર્યો ગયો. મહિપાલ કથે
આ વીર અને ધર્મ રક્ષક રાજાએ સમય સર્વથા પ્રતિકૂલ લેવા છતાં સોમનાથના ભ્રષ્ટ થયેલા દેવાલયને પુનઃ પવિત્ર કર્યું અને તેમનાથનાં લિંગની પ્રતિષ્ઠા કરી. તેણે તેનાં પરાક્રમથી મુસ્લિમોની પ્રવૃત્તિ સ્થંભાવી દીધી.
રહ મહિપાલ ચેલે ઈ. સ. ૧૩૨૫માં મૃત્યુ પામ્યો. ખેંગાર કર્યો
રાહ મહિપાલને અનુગામી ખેંગાર દીર્ઘદૃષ્ટા અને પરાક્રમી રાજા હતો. તેણે મુસ્લિમોની વધતી જતી ભરતી ખાળવા માટે અપાર ઉદ્યમ કર્યો અને પિતાની શક્તિ અને સ્થિતિથી ઉપરવટ જઈને એક સંપૂર્ણ સુસજજ અને સાધનસંપન્ન સૈન્ય તૈયાર કર્યું અને તે સાથે નાના નાના ઠારો અને સામંતનું ઐકય સાધી તેમના નેતૃત્વની જવાબદારી સ્વીકારી મુસ્લિમોને પ્રબળ પ્રતિકાર કરવા તૈયાર થશે. મહમદ તઘલગ
દિલ્હીના સુલતાન મહમદ તઘલગ તેની સતનતમાં ફાટી નીકળેલા બળવાઓને દાબી દેવા ગુજરાતમાં આવ્યો. તેને તાઘી નામને અમીર નાસીને
1 રેવતીકનો લેખ