________________
ચુડાસમા વંશ : ૮૧
નગરની પૂર્વ દિશામાં ઉગ્રસેનગઢ હતે.
જેમ વસ્તુપાલે તેની પત્નીઓ લલિતા અને સોળકાદેવીના શ્રેયાર્થે ગિરનાર ઉપર મંદિર બંધાવ્યાં તેમ તેજપાલે તેના પિતાના નામ ઉપર તેજલપુર વસાવ્યું અને તેની માની સ્મૃતિમાં કુંવર સરોવર બંધાવ્યું.
કેટલાક વિદ્વાને રેવંતગિરિ રાસુના ઉપરોકત વિધાનના પ્રથમ ભાગના વાંચનથી એવું અનુમાન કરે છે કે તેજપાલે આ તેજલપુર ગામ “ગિરનારને તલે” એટલે તલેટીમાં વસાવ્યું હતું પણ તેના બીજા ભાગમાં રાણું લખે છે કે તે ગામની પૂર્વમાં ઉગ્રસેનગઢ હતે. નગરની અંદર આવેલો ઉપરકેટ ઉગ્રસેનગઢ કહેવાતા અને તે પ્રમાણ જોતાં, તેજલપુર ગિરનારની તળેટીમાં નહિ પણ ઉપરકેટની પશ્ચિમે હેય. આજે પણ ગિરનારથી પાંચ-પાંચ સાત-સાત માઈલ દૂર આવેલાં ગામે ગિરનારની તળેટીમાં કે ગિરનારની છાયામાં હેવાનું કહેવાય છે. “ગિરનારને ત” એટલે પર્વતની લગોલગ તળેટીમાં જ હેવાનું માની લેવાનું બરાબર નથી. વળી રાસ સ્પષ્ટ કહે છે કે તેજલપુરની પૂર્વે ઉગ્રસેનગઢ હતા. આ કિલ્લો ઉગ્રસેને બંધાવ્યો હેવાની માન્યતા ઈ સ. ૧૮૨૦ સુધી તે પ્રચલિત હતી. તારીખે સોરઠના વિદ્વાન લેખક દિવાન રણછોડજી તેના ઈતિહાસ ગ્રંથમાં લખે છે કે આ કિલ્લે ઉગ્રસેન યાદવે બંધાવ્યું હતું. ઈ. સ. ૧૨૩રમાં શ્રી વિજ્યસેનસૂરીએ રેવંતગિરિ રાસે લખ્યો ત્યારે ગિરિદુર્ગ ઉપરકેટ–ઉગ્રસેને બંધાવ્યું હતું તેવી માન્યતા હશે અને તે ઉગ્રસેનગઢ કહેવાતા હશે.
જૂનાગઢ ઉપરકેટની પશ્ચિમે મજેવડી માખીયાળા પાસે તેજપુરને ઉજજડ ટીબે આજ પણ તાજપુર નામે ઓળખાય છે. ત્યાં એક કાળે મંદિર અને મકાને હશે એમ સ્થળ જતાં જણાય છે. જૂના માણસે તેને દેરાસરનું ગામ કહેતા અને કિવદંતી હતી કે ત્યાં ઘણું મંદિરો હતાં. આ તાજપુર કે તેજપુર તે તેજપાલનું વસાવેલું તેજલપુર હશે તેમાં સંશય નથી.'
તે પ્રમાણે કમર સરોવર, વિલિંગ્ડન ફાર્મ અને પરિતળાવ પાસેનું કુંવર તળાવ હેવાને પૂરતો સંભવ છે. ઈ. સ. ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલા “કીર્તિ કૌમુદીના ભાષાંતરમાં સ્વ. શ્રી વલભજી હરિદત્ત આચાર્ય પણ આ કમર સરોવર તે કુંવર સરોવર હોવાનું કહે છે. ગિરનાર માહાભ્યના લેખક
1 ઉગ્રસેનગઢની પશ્ચિમે તેજલપુર હતું તેથી તે જુનાગઢ, એવો એક નિરાધાર તર્ક પણ
કરવામાં આવ્યો છે. “પથિક', સૌરાષ્ટ્ર અંક મે, જુન, શ્રી કે. કા. શાસ્ત્રી. જ.ગિ.-૧૧