________________
૮૦ : જૂનાગઢ અને ગિરનાર
પાટણપતિ ભીમદેવ ઈ. સ. ૧૨૪માં ગુજરી જતાં, ગુજરાતની રાજશ્રી સોલંકી વંશથી રિસાઈ વાઘેલાઓને વરી. આ સંક્રાંતિ કાળને રહ મહિપાલ કાંઈ લાભ લઈ શકે નહિ. વસ્તુપાલ-તેજપાલ
આ સમયમાં પાટણમાં વસ્તુપાલ અને તેજપાલ નામના બે પ્રાગ્વાટ પિરવાડ ભાઈઓ થઈ ગયા. તેઓ વિરધવલ વાઘેલાના મંત્રીપદે નિયુક્ત થયેલા. નિયુક્તિ વખતે તેઓએ ત્રણ લાખ ક્રમની પૂંજી લઈ એવી શર્ત રાજાની સેવા
સ્વીકારી કે ભવિષ્યમાં રાજા કેપે તો પણ આ પૂંજી પાછી લેવી નહિ. વીરધવલ પાસેથી મળેલું ધન લઈ આ બંને ભાઈઓ ભાલ પ્રદેશના હડાળા ગામની સીમમાં દાટવા ગયા. જે સ્થળે ધન દાટયું હતું ત્યાં ખોદતાં ત્યાંથી અપાર ધનરાશિ પ્રાપ્ત થયો તે સાથે દેવીએ અંતરિક્ષમાંથી આજ્ઞા આપી કે તમારું દ્રવ્ય ભૂમિમાં ન દાટતાં પર્વત ઉપર રાખો કે સહુ કેઈ જોઈ શકે અને કઈ . લઈ જઈ ન શકે. આ ઉપરથી તેઓએ પુષ્કળ દ્રવ્ય ખરચીને ઈ. સ. ૧ર૩રમાં ગિરનાર અને શંત્રુજ્ય પર્વતે ઉપર અપ્રતિમ કલાકૌશલ્યનાં પ્રતીક જેવાં મંદિર બંધાવ્યાં.
વસ્તુપાલ અને તેજપાલ યુદ્ધ વિશારદ પણ હતા. તેઓએ ઈ. સ. ૧રર૧૨૨માં જીર્ણદુર્ગને રાહ મહિપાલ પાસેથી ખડલી વસૂલ કરી અને વીરધવલના સાળાઓ સાંગણ અને ચામુંડ વંથળીમાં અધિકાર ભોગવતા તેમને મારી વંથળીને કોષ હસ્તગત કર્યો અને સાંગણના પુત્રને વંથળી આપ્યું. તેણે સૌરાષ્ટ્રના અન્ય રાજાઓને પણ નમાવી અપાર ધન અને યુદ્ધસામગ્રી. એક ત્રિત કર્યા.
આ સમયે મહિપાલ એટલે નિર્બળ થઈ ગયો હતો કે ગિરનાર ઉપર મંદિર બાંધતી વખતે, આ ભાઈઓએ તેની અનુમતી તે નહિ પણ વિવેક ખાતર તેને માહિતી પણ આપવાનું આવશ્યક નહિ ગમ્યું હોય ! તેજલપુર-કુંવર સરોવર
તેજપાલે આ મંદિરના નિર્માણ પ્રસંગે “ગિરનારની તળેટીમાં ઉત્તમ ગઢ, મઢ અને પ્રભાવાળું તથા ઘરો અને આરામો વડે મોડર એવું તેજલપુર વસાવ્યું. તે પુરમાં આશારાજ વિહાર, પાશ્વજિન શોભતા હતા. તેજપાલે નિજ જનનીના નામ ઉપરથી વિશાળ કુંવર સરોવર નિર્મિત કર્યું. તે 1 જુઓ આ પુસ્તકમાં ગિરનાર પ્રકરણ ૮મું. 2 રેવંતગિરિ રાસુ-શ્રી વિજયસેન સૂરીસશોધક-સંપાદક છે. હરિવલ્લભ ભાયાણું.