SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચુડાસમા વંશ : ૦૮ આપ્યું. આ યુદ્ધમાં જયસિંહ પણ ભીમની મદદે ગયેલ અને તેથી ભીમ સાથે તને મૈત્રી થઈ. બાળમૂળરાજ ઈ. સ. ૧૧૭૪માં બાલય વયમાં જ ગુજરી જતાં ગુજરાતની ગાદીએ ભીમદેવ બેઠે. રાયસિંહ મહિપાળ ૨ જે ઈ. સ ૧૧૮ભાં જયસિંહ મૃત્યુ પામ્યો અને તેનો પુત્ર રાયસિંહ જીર્ણદુર્ગની ગાદીએ બેઠો. તે પણ ઈ. સ. ૧૫૮૪માં મૃત્યુ પામતાં તેને યુવરાજ રાહ મહિપાળ નામ ધારણ કરી ગાદીએ બેઠો. રાહ મહિપાલના સેનાપતિ ચૂડામણિબે શિરસાના વત્સરાજ નામના રાજાને હરાવ્યું. તેણે ચોરવાડ, માંગરોળ, આદિ પ્રદેશો જીતી લીધા અને મહેબા ઉપર ચડાઈ કરી. મહેબાના યુદ્ધમાં ચૂડામણિ ભરાઈ ગયે. મહેબાનાં સૈન્યો સેરઠનાં સભ્યો પાછળ પડ્યાં અને આબુ પાસે થયેલા ભયંકર યુદ્ધમાં સોરઠી સેના કપાઈ ગઈ અને રહે તેની પુત્રી મોતીદે, મહેબાના મલને પરણાવી મુક્તિ મેળવી.' * આ રાહના સમયમાં ગિરનાર ઉપરનાં કેટલાંક જૈન મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને કેટલાંક નવાં મંદિરો બંધાયાં. જયમલ રાહ મહિપાલ ઈ. સ. ૧૨૦માં ગુજરી ગયે અને તેની પાટે તેને યુવરાજ જયમલ બેઠે. આ વિદ્વાન અને કવિ રાજા વિદ્વાનોને આશ્રય આપતા. તેના ગુણનું કથન કરતું “જયમલ જશે વર્ણન” નામનું કાવ્ય કેઈ કવિએ રચેલું છે. મહિપાલ ૩ જે જયમલ ઈ. સ. ૧૨૩૦માં ગુજરી ગયો અને તેને પુત્ર મહિપાલ ત્રીજો તને અનુગામી થશે. આ રાજા નિર્બળ અને દીર્ધદષ્ટિ વગરને હ. જીર્ણદુર્ગથી માત્ર નવ માઈલ દૂર આવેલું વંથળી પણ તેના અધિકારમાં રહ્યું ન હતું. 1 ઉત્તર પ્રદેશમાં ઝાંસી જિલ્લામાં ચિરગાંવ અને બીજા ગામમાં રાય ખેંગાર શાખના રાજપૂતો છે. તેઓ માને છે કે તેઓ ખેંગારના કુંવર ખેતસિંહ ઈ.સ. ૧૧૧૯ -માં જૂનાગઢની ગાદીએ હતા અને તેના ભાઈ જયસિંહને ગાદી આપી ગઢકંડારનો રાજા થયો તેના વંશજો છે.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy