SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ૯ જૂનાગઢ અને ગિરનાર તિની સુચનાથી કુમારપાળે સેમિનાથનું દેવાલય બાંધ્યું. તેની પ્રતિષ્ઠામાં કુમારપાળ આવેલો પણ ગમે તે કારણસર કવાટ ત્યાં ગયો નહિ.' આ સમયે સેરઠના સુંવર, સુંદર કે સાઉચર નામના કેઈ સરદાર કે રાજ સામે, કુમારપાળે વાવૃદ્ધ સેનાની ઉદા વા ઉદયનને મોટું સૈન્ય લઈને મોકલ્યો. પરંતુ તેને સજજડ પરાજય મળતાં તે મૃત્યુ પામ્યો અને તેને પુત્ર વાહડ વા વાઢ ઈ. સ. ૧૧૫રમાં સેરઠ ઉપર ચડશે. આ પ્રસંગે રાહ કવાટનાં સૈન્ય સાથે તેને ભીષણ યુદ્ધ થયું તેમાં કવાટ ભરાઈ ગયે; જયસિંહ ૧લે રાહ કવાટનું મૃત્યુ થતાં સેરઠને પુનઃ ગુજરાતના રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું. કવાટના યુવરાજ ખેંગારે કુમારપાળનું આધિપત્ય સ્વીકારી સોરઠની ગાદીએ બેસવા ઈન્કાર કર્યો ત્યારે સદાને માટે રાજ્ય ન ગુમાવી દેવાય તે કારણે કવાટને દ્વિતીય કુંવર દાસ ઉર્ફ પ્રહાર કુમારપાળનું સાર્વભૌમત્વ સ્વીકારી જયસિંહ નામ ધારણ કરીને જીર્ણદુર્ગની ગાદીએ બેઠા. જયસિંહ સોરઠનું તંત્ર મંત્રીઓને આધીન કરી કને જ ગયો અને ત્યાંના મહારાજા જયચંદ્ર રાઠોડ પાસે રહ્યો. જયચંદ્ર તેને કને જ તંત્ર સેપી, પૃથ્વીરાજ ચૌહાણ સામેના યુદ્ધોમાં પ્રવૃત્ત થયા. જયસિંહે આ તક ઝડપી લઈ કને જનું રાજ્ય સ્વાધીન કર્યું. પણ તે પછી જયચંદ્રના દદીની સમજાવટથી જયસિંહે જયચંદ્ર પાસેથી પુષ્કળ દ્રવ્ય લઈ કનાજ છોડી દીધું અને આ દ્રવ્યની સહાયથી એક સૈન્ય ઊભું કરી ગ્વાલિયરને કિલે હસ્તગત કરી લીધો. આ પ્રદેશ તેના અધિકારમાં કયાં સુધી રહ્યો તે જાણવામાં આવ્યું નથી. - ઈ. સ. ૧૧૭૪માં કુમારપાળ મૃત્યુ પામે અને જયસિંહે તરત જ સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી. કુમારપાળને અનુગામી અજયપાળ ઈ. સ. ૧૧૭૭માં ગુજરી ગયા અને તેના પુત્ર બળમૂળરાજને ગાદીએ બેસાડી ગુજરાતનું તંત્ર તેના કાકા ભીમદેવે હાથમાં લીધું. તેના સમયમાં ગીઝનીને મુયઝઝુદીન અહમદ બીન શામ ગોરી ગુજરાત ઉપર ચડી આવ્યો. ભીમે તેની સામે પ્રબળ સામનો કર્યો અને તેમાં તેના મિત્રો, સામંતો અને આધીન રાજાઓની સહાયથી તેને સજજડ પરાજ્ય 1 વિગતે માટે જુઓ “પ્રભાસ અને સોમનાથ”, શં. હ. દેશાઈ. 2 વિગતો માટે જુઓ “સૌરાષ્ટ્રને ઇતિહાસ”, શં. હ. દેશાઈ.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy