________________
ચુડાસમા વંશ : ૭૭
વિ. સ. ૧૯૮૫માં કરવામાં આવ્યું હતું એમ લખ્યું છે.
ગિરનાર મહાત્મમાં એવી પણ વાત છે કે જ્યારે સિદ્ધરાજે સાજનને ખુલાસા માટે લાવ્યા ત્યારે તેણે ફાળે કર્યો તેમાં થાણા દેવળીના ભીમા કુંડળિયા નામના ગૃહસ્થ સાજનને સ્વગૃહે આમંત્રી સાડી બાવીસ કરોડ સોનૈયા આપવા કહેલું. સાજને ધાર્મિક કાર્ય કર્યું છે અને તેના ઉપર આપત્તિ આવે છે તે કારણે આ ઉદારાત્માએ આ ધન સિદ્ધરાજને ભરી દેવા આપેલું. સિદ્ધરાજે જયારે ધન લીધું નહિ ત્યારે ભીમાએ અઢાર રને હાર શ્રી નેમિનાથને પહેરાવી દીધો તથા ભીમકુંડ સમરાવ્યો.'
સિદ્ધરાજે સોમેશ્વરની યાત્રા કરી અને ગિરનાર ઉપર સાજને બાંધેલાં મંદિરમાં દર્શન કરવા ગિરનાર ઉપર જવા ગયો ત્યાં બ્રાહ્મણોએ “આ પર્વત શિવલિંગ આકારને છે માટે તેના ઉપર પગ મુકાય નહિ” તેમ કહી જવા ન દીધા. બ્રાહ્મણે હાથમાં તલવાર લઈ આડા ઊભા તેથી રાજા કાપડીને વેશ પહેરી રાત્રીના સમયે ગિરનાર ઉપર ચડી ગયે અને યુગાદિ દેવોને ગંગાજળથી સ્નાન કરાવ્યું. તે પછી તેને અવર્ણનીય આનંદ ઊપજતાં, ગિરનાર પાસેના બાર ગામે શ્રી દેવની પૂજા માટે અર્પણ કર્યા.” નવઘણ ૩ જે
રાહ ખેંગારના મૃત્યુ સમયે તેને યુવરાજ નવઘણ તેના મોસાળમાં હતા. તેણે ખેંગારના મંત્રી સમાજની સહાયથી સોરઠની પ્રજાને ઉશ્કેરી બળવો કરી સિદ્ધરાજનાં થાણુઓ ઉઠાડી મૂક્યાં અને ઈ. સ. ૧૧૨૫માં તેના મામા જેઠવા રાણા નાગજી તથા મંત્રી સમરાજની સહાયથી તે જીર્ણદુર્ગની ગાદીએ બેઠો.
મંત્રી સેમરાજે તરત જ પાટણ જઈ સિદ્ધરાજને ખંડણીભરી તેનું સાવ ભૌમત્વ સ્વીકાર્યું. કવાટ ૨ જે
નવઘણના મૃત્યુ પછી ઈ. સ. ૧૧૪૦માં રાહ કવાટ બીજે ગાદિપતિ થ. ઈ. સ. ૧૧૪૩માં કુમારપાળ ગાદીએ આવ્યો. કવાટે કુમારપાળના અધિકારની અવગણના કરી પરંતુ તેને વિરોધ બહુ વાર ટકયો નહિ. કુમારપાળ આગળ તેનું સાર્વભૌમત્વ સ્વીકારવું પડયું. આ રાતના સમયમાં ભાવબૃસ્પ
1 ગિરનાર માહાત્મ-શ્રી દો. પુ. બેડિયા. વિશેષ માટે જુઓ ગિરનાર પ્રકરણ 2 પ્રબંધ ચિંતામણિ