________________
ચુડાસમા વંશ : ૭૫
તેમ અજાણ્યા ગામમાં આવેલા પ્રવાસીઓને કોઈ સગાં સ્નેહી કે નાતીલા ન હોય તે તે કુંભારને ઘરે ઊતરે છે તે પ્રમાણે તેઓ હડમતને ત્યાં રાત રોકાયા. તેઓ એ રાણકનું અપ્રતિમ સૌંદર્ય જોઈ વિચાર્યું કે આ કન્યા કુંભારની નથી તેમ કુંભારને ત્યાં રહેવા સરજાઈ નથી. તે કઈ રાજાની રાણું થવા
છે. તેઓએ પટણ પહોંચી સિદ્ધરાજને રાણકના રૂપની વાત કરી તથી આ કામી રાજાએ તરત જ તેને પાછા, મજેવડી જઈ રાણકના માંગો કરવા કહ્યું. ભાટે શીક મજેવડી આવ્યા અને તેઓએ હડમતને સમજવી સિદ્ધરાજના માંગાનો સ્વીકાર કરાવ્યો.
આ સમાચાર રાહ ખેંગારને મળતાં તેના ભાણેજે દેશળ અને વીશળની સલાહથી અને આગ્રહથી હડમતને દબાવી રાણકના માગાં કર્યો. હડમતે કહ્યું કે મેં સિદ્ધરાજ જેવા રાજાને વાઝાન કરી દીધું છે અને એવા સમર્થ રાજાને છંછેડવ નું સાહસ કરવાનું ઉચિત અને યોગ્ય નથી ત્યારે ખેંગારે કહ્યું કે પાટણને કિલ્લે મેં તો ત્યારથી સિદ્ધરાજનાં સૈન્યની હું પ્રતીક્ષા કરી રહ્યો છું. તેને મેં અનેક વાર પરાજિત કર્યો છે અને હજી ભલે જીર્ણદુર્ગ ઉપર ચડી આવવું હોય તે આવે. તે રાણકને પરણ્ય.
સિદ્ધરાજે જ્યારે જાણ્યું કે રાહ ખેંગારે રાણક સાથે લગ્ન કર્યા ત્યારે તેના ક્રોધને પાર રહ્યો નહિ. તેણે જીર્ણ દુર્ગ આની ઉપરકેટ ઘેર્યો. ઘેર ચાલતા હતા ત્યારે દેશળ વીશળે તેની માતાની શિખામણથી સિદ્ધરાજને મળી દગાથી દુગનાં દ્વાર ખોલાવી શત્રુને પ્રવેશ કરવા દીધા. દુગમાં મચેલા યુધમાં ખેંગાર મરાયો અને દેશળ વિશાળ સિધ્ધરાજને લઈ રાણકદેવીના મહેલમાં ગયા. સિદ્ધરાજે રાણકદેવીને પાટણના રાજમહેલમાં આવવા આમંત્રણ આપ્યું પરંતુ આર્યનારી એકની બે ન થઈ ત્યારે તેણે તેની દષ્ટિ સમક્ષ તેના બાલપુત્ર દગાયને ઘાત કર્યો અને તેને બળાકારે ઉપાડી પાટણ લઈ ચાલ્યો. માર્ગમાં વઢવાણ પાસે રાણકદેવી સતી થઈ અને સિદ્ધરાજને શાપ આપે કે તું અને તારા અનુગામીઓ કેઢિયા થશે.'
પ્રબંધ ચિંતામણિ એવી વાર્તા કહે છે કે, “એક વખત શ્રી સિદ્ધરાજે આભીરોના રાણા નવઘણને તાબે કરવાની તૈયારી કરી પણ પહેલાં અગ્યાર વખત પોતાનું સૌન્ય તેનાથી હારેલું હોવાથી શ્રી વઢવાણુ વગેરે શહેરના કિલ્લાઓ બંધાવી જાતે જ પ્રયાણ કર્યું. નવઘણના ભાણેજ એ ગઢને તોડવાનો માર્ગ બતાવતી વખતે એવો કરાર કરે છે કે ગઢ હાથમાં આવે ત્યારે નવઘણને
1 રાણકદેવીની વિસ્તૃત વાર્તા માટે જુઓ “સૌરાષ્ટ્રનો ઈતિહાસ - શં. હ. દેસાઈ