________________
૭૪ઃ જૂનાગઢ અને ગિરનાર તેના રાજમહેલનાં આભૂષણે પણ લઈ જશે તેથી તેની રક્ષા કરવાને જાગૃત
રહે.”
આ સમયે સિદ્ધરાજ માળવામાં હતું, તેને આ સમાચાર મળતાં તે પાટણ આવ્યો અને જીર્ણ દુર્ગ ઉપર આક્રમણ કરી તેના થયેલા અપમાનને બદલે લેવા કૃતનિશ્વયી બન્યો.
સિદ્ધરાજને, પ્રબંધ ચિંતામણિમાં જણાવ્યા પ્રમાણે ખેંગારે અગ્યાર વખત હરાવ્યો હતો તેથી તેણે વઢવાણુ વગેરે નરેમાં દુર્ગો બંધાવી તે પિતે જ એક બળવાન રૌન્ય લઈને જૂનાગઢ ઉપર ચડ્યો.
- સિદ્ધરાજે ઉપરકેટ ઘેર્યો અને રાહ ખેંગારે પણ તેટલા જ ઉત્સાહથી તેને પ્રતિકાર કર્યો. આ ઘેરો કેટલા વર્ષ ચાલ્યો તે ચોક્કસપણે કહી શકાય એમ નથી પરંતુ લોકવાર્તા અનુસાર બાર વર્ષ પર્યત સિદ્ધરાજ, રાહ ખેંગારને નમાવવા માટે પુરુષાર્થ અને પરિશ્રમ કરતો રહ્યો અને ખેંગાર દીર્ધકાળથી ઘેરાયેલું હોવા છતાં નિરુત્સા કે નિરાશ ન થયો.
' અંતે રાહ ખેંગારના સોલંકી ભાણેજે દેશળ તથા વીશળે ખુટામણ કરી દુને દ્વારે ઉઘડાવી, સિદ્ધરાજનાં સૌોને અંદર પ્રવેશ કરવાનું સરલ કરી આપ્યું. સિદ્ધરાજનાં સૈન્ય દગાથી દાખલ થયાં. રાહ ખેંગાર મરાયો અને જીર્ણ દુગઈ. સ. ૧૧૧૪માં સિદ્ધરાજના હાથમાં પડયું. રાણકદેવી
સિદ્ધરાજની ચડાઈ શા માટે થઈ હતી તેનું કારણ સમજાવતી એક સુંદર વાર્તા લેક સાહિત્યમાં અને પ્રબંધ ચિંતામણિ વગેરે જૈન ગ્રંથમાં જુદા જુદા સ્વરૂપે પ્રસિદ્ધ થઈ છે.
જીર્ણ દૃગ પાસે મજેવડી નામના ગામમાં હડમત નામને એક કુંભાર રહે. શેરપાવરના પરમાર રાજાની જન્મતાં વેંત તજી દેવાયેલી પુત્રી તેને વગડામાંથી મળી. હડમતિ આ કન્યાને ઉછેરીને મેટી કરી અને તેનું નામ રાણક પાડયું. રાણકદેવી રાજપુત્રી હતી અને વયમાં આવતાં તે સ્વરૂપવાન અને નમણું હોવાથી કચછના જામ લાખા જાડેજાએ તેના હાથની માગણી કરી. હડમતની ઈચ્છા જામ લાખાને, રાણક આપવાની ન હતી તેથી પિતાના કુટુંબ સાથે તે રાતોરાત નાસી છૂટયો અને જીર્ણદુર્ગ પાસે મજેવડી વસતું હતું ત્યાં વસી ગયો.
એકવાર સિદ્ધરાજના દસોંદી ભાટે, લાલ, લંગઠ, ચંચ અને ડબલ, પ્રભાસથી પાછા વળતાં મજેવડી આવ્યા. આજે પણ સોરઠમાં રિવાજ છે