________________
૭૨ : જૂનાગઢ અને ગિરનાર
દીવાન રહેાડજી તારીખે સેારડમાં આ વાર્તા ભીન્ન સ્વરૂપે આપે છે. તેના પ્રમાણે રાહુ દયાસે ગુજરાતના રાજકુટુંબ સાથે આવેલી રાજકન્યાના હાથની માગણી કરેલી. રાહુના પ્રતિકાર કરવાનું ત્યારે શકય હતું નહિ. તેથી તે માગણી સ્વીકારી લેવામાં આવી અને કહેવામાં આવ્યુ કે રાજકન્યાને સામેથી પરણાવવા લાવવામાં આવશે. થેાડા દિવસે રથેામાં સૈનિને બેસાડી બંધ કરી તેમાં જાનડીએ છે એમ કરી જૂનાગઢના રાજમહેલમાં રથા દાખલ થયા. તેના પૈડાના અવાજ સાંભળી એક જન્મમધ ચોકીદારે કહ્યું કે રથમાં સ્ત્રીઓ નહિ પણ લેાખડી પુરુષા ખેડા છે. આ સાંભળી સૌને કૂદી પડયા અને યુદ્ધ થયુ. તેમાં રાહ મરાયા.
પડદા
નવઘણ ૧લા
નવઘણ ખાડીદરમાં દેવાયત આહિરને ત્યાં ઊછરી મોટા થયા અને તે પંદર વર્ષ ના થતાં દેવાયતે આહિરાને એકત્ર કરી તેની મદદથી જૂનાગઢ લીં અને નવધણુને સોરઠનું રાજતિલક કર્યુ.
લોકસાહિત્યમાં અતિ પ્રચલિત એવી આ કથામાં દેવાયતે જૂનાગઢ લીધું હાવાનું સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે અને તે વિધાન સ્વીકારીએ તો ઈ. સ. ૧૦૧૦માં રાહુ દયાસના મૃત્યુસમયે વથળીનું પતન તના સૂબાએ તેની રાજધાની વંથળીથી ફેરવી જીણુ દુ માની શકાય.
થયું. ત્યારે ગુજરામાં રાખી હશે તેમ
ઈ.સ. ૧૦૨૫માં મહમૂદ ગીઝની સેામનાથ ઉપર ચડી આવ્યા અને સોમનાથમાં લૂટ કરી તરત જ પાછે ગયો. તેના ઈતિહાસકારા તેના આવ્યા અને ગયાના માર્ગમાં આવતાં નગરાનું બારીક વર્ણન કરે છે પરંતુ કાઈ સ્થળે તેમણે જીણુ દુગ ના ઉલ્લેખ કર્યો નથી અને તેથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે તે આવતી કે જતી વખતે છણુ દુર્ગં આવેલા નહિ.1
નવઘણના સમયમાં ઢાંકમાં નાગાર્જુન નામના રાજા હતા. તે રસાયણશાસ્ત્રી હતા. તેની સંશાધનશાળામાં રહેતા જૂનાગઢના નાગર પડિત યશાધરે રસ રત્નાકર નામના ગ્રંથની રચનામાં પ્રધાન કાય કયું.2
1 જુઓ “પ્રભાસ અને સેામનાથ”, શ. હું દેશાઈ
૧ રસ રત્નાકર “મ: હાટકેશ્વરાય”થી શરૂ થાય છે અને તે શેાધરે લખ્યા છે. રસ રત્નાકરની એક આકૃતિ ભુવનેશ્વરી પીઠ ગાંડલ તરફ્થી પ્રકાશિત થઇ છે. મારી પાસે હસ્તલિખિત પ્રત છે.