________________
ચુડાસમા વંશ : ૭૧
સામાન્ય રીતે એવી માન્યતા છે કે પ્રહારના સમયમાં એક કઠિયારાએ આપેલી બાતમી ઉપરથી ઉપરકેટ અને નગર ઉપર ઊગી ગયેલાં વૃક્ષોની ગીચ ઝાડી કપાવી ગિરિદુર્ગ અને જીર્ણ દુર્ગ શોધી કાઢવામાં આવ્યાં. પરંતુ પ્રભાસખંડમાં કરેલા ઉલ્લેખ ઉપરથી જણાય છે કે ગિરિદુર્ગ નવસાધ્ય કરવાનું કાર્ય તેના પહેલાં થઈ ગયું હશે. ગમે તેમ હેય પણ રાહ પ્રહારના સમયમાં ઉપરકેટને યુદ્ધો થાય ત્યારે આક્રમકેને પ્રતિકાર કરવા માટે સુસજજ કરવામાં આવ્યો હશે.
ગિરિનગર નામ લુપ્ત થયું અને ઝાડીઓમાં જૂને કિલે તથા નગરના ખંડિયેરે જોવા મળ્યાં તેથી કિલ્લાને જીર્ણદુર્ગ કહ્યો અને તેની પાસે વસેલા નવા નગરનું નામ પણ જીર્ણદુર્ગ થઈ ગયું.
રાહ પ્રહાર વીર અને પરાક્રમી રાજા હતો. તેણે સૌરાષ્ટ્રને ઘણેખરે પ્રદેશ જીતી લઈ ગુજરાત ઉપર મીટ માંડી. જેની આગેકૂચ રોકવા માટે ગુજરાત પાટણના રાજા મૂળરાજ સોલંકીએ તેના ઉપર વારંવાર ચડાઈ કરી અને અંતે ઈ. સ. ૯૭૯માં તેણે રાહ પ્રહારને પરાજિત કર્યો. પરાજયના આઘાતથી તે ઈ. સ. ૯૮રમાં ગુજરી ગયો.
રાહ કવાટ ઝહારના પુત્ર અને અનુગામી રાહ કવાટને શિયાળ બેટના અનંત -સેન ચાવડાએ દગાથી કેદ કરી કાષ્ટ પીંજરામાં પૂરેલે. તેને તેના મામા તથા સેનાપતિ ઉગાવાળા વા ઉગ્રસેને મુક્ત કરાવ્યો. આ ઉગાવાળા કે ઉગ્રસેને ઉપરકેટમાં સમારકામ કરાવ્યું કે તેને સવિશેષ સજિજત કર્યા તેથી કદાચ ઉપરકોટ ઉગ્રસેનગઢ કહેવાય ! દયાસ
રાહ કવાટના મૃત્યુ પછી તેને પુત્ર દાસ સોરઠની ગાદીએ આવ્યા. તેણે ગુજરાતના રાજા દુર્લભસેન સામે તેના પિતામહે સોરઠને પરાજય આપેલે તેથી તેની રાણીને યાત્રાવેરો આપ્યા સિવાય દામોદરકુંડમાં સ્નાન કરવા દીધું નહિ તેથી પાટણપતિનાં રૌ વંથળી ઉપર ચડયાં રાહ. દયાસે ઉપરકેટમાં રહી પાટણના સૈન્યને પ્રતિકાર કર્યો. દીર્ઘકાળ ચાલેલા ઘેરાના અંતે ગુજરાતના સેનાપતિએ બીજલ નામના ચારણને મોકલી રાહનું માથું દાનમાં મેળવ્યું. રાહે સ્વહસ્તે પોતાનું શિશ ચારણને સેપતાં ઉપરકેટ પડે અને રાહતી રાણી સતી થઈ અને તેની દાસી બાલપુત્ર નવઘણને લઈ બોડીદર ગામે જઈ દેવાયત બેદર નામના આહિરને સોંપી આપે. સોરઠ ઉપર ગુજરાતની ઉંઝૂમત થઈ.