________________
ચુડાસમા વંશ
ચંદ્રચંડ - ઈ. સ. ૭૭૦માં વલભી સામ્રાજ્યને ઉછેદ થયો ત્યારે વલભીપુરના ઘેરામાંથી બચેલાં સમ્રાટનાં કુટુંબીઓ અને આપ્તજને મેવાડમાં ચાલ્યાં ગયાં અને અહીંની પરિસ્થિતિ શાંત થતાં પાછાં આવીને જુદાં જુદાં રાજ્ય સ્થાપ્યાં. તે સમયે વંથળીના જાગીરદારવાળા વેરીએ વંથળીમાં નાનું પણ સ્વતંત્ર રાજય સ્થાપ્યું. વાળા વેરસીને એકમાત્ર પુત્ર વાળા રામ હતા તેને પુત્ર દેશવટે ગયો અને તે પાછે ન આવતાં તેણે તેની પુત્રીના પુત્ર યદુવંશીય ચંદ્રચૂડ સમાને પિતાના યુવરાજપદે સ્થા.
ચંદ્રચૂડ સિંધમાં આવેલા નગરઠઠ્ઠાના યદુવંશીય રાજાને પુત્ર હતું. અને ઈ. સ. ૮૭૫માં વાળા રામ ગુજરી ગયો ત્યારે તે તેના માતામહની ગાદીએ બેઠે. ચંદ્રચૂડે તેના રાજ્યને વિસ્તાર વધાર્યો, ઝાડીઓ કપાવી ત્યાં ખેતી માટે જમીને આબાદ કરી અને નવાં ગામ વસાવ્યાં. પ્રહાર
ચંદ્રચૂડ ઈ.સ. ૯૦૭માં ગુજરી ગયો અને તેની પાટે પૌત્ર મૂલરાજ બેઠો. તેણે પણ રાજ વિસ્તારની પ્રવૃત્તિ ચાલુ રાખી. તે ઈ. સ. ૯૪માં ગુજરી ગમે ત્યારે તેને પરાક્રમી પુત્ર પ્રહાર, ઘાર, કે ઘારિયે કે જેને જૈન લેખકેએ ગ્રહરિપુ, પ્રહારસિંહ કે પ્રહાર કહ્યો છે તે વંથળને સ્વામી થયે. તેનું ઉપનામ સંગ્રામસિંહ પણ હતું.