SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ : જૂનાગઢ અને ગિરનાર તે જલસમૂહ વ માન વાગીશ્વરી દરવાજાતી અંદરની બાવાપ્યારાની ગુફા છે ત્યાં સુધી ફેલાઈ ઉત્તરમાં ઉપરાટની દીવાલોને સ્પશી ધારાગઢ દવાજા અંદર ખાપરા કાઢિયાની ગુફા છે તેને અડીને ત્રિવેણીથી થેાર્ડ આગળ સુધી જતું, તેની બીજી પાંખ વાગીશ્વરી દરવાજાથી સકરિયા ટી ખેા છે તેના સુધી જઈ વત માન લેપર્ એસાયલમ સુધી જતુ જેના ઉત્તર ભાગ જોગણીના પહ।ડને અડતા હરશે. આ સરાવરના આકાર એ રીતે અંગ્રેજી T ટી જેવેા હશે. વલભી સમય ઈ. સ. ૪૬૭માં સ્કંદગુપ્ત મૃત્યુ પામ્યા અને તે સાથે ગુપ્ત સામ્રાજ્યના અંતના પ્રારંભ થયો. કૂણાનાં આક્રમણા શરૂ થયાં અને ગુપ્ત સમ્રાટોની નિભળતાના કારણે સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. સમ્રાટના પ્રતિનિધિએ રાજ્ય જ્ઞાની ઉપેક્ષા કરી સ્વત ંત્રતા ધારણ કરવા લાગ્યા. આવા સૌરાષ્ટ્રના એક સેનાપતિ ભટ્ટા ઈ. સ. ૪૮૦માં સ્વતંત્ર શાસન કરવાનું શરૂ કર્યુ” અને ઈ. સ. ૪૯૯માં તેણે સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યવશ મૈત્રક રાજવશ કહેવાય છે. તેની રાજધાની વલભીપુરમાં હતી. વલભીપુર રાજધાની થતાં ગિરિનગરની મહત્તા ન્યૂન થઈ ગઈ પરંતુ બૌદ્ધ ધર્માંના સાધુઓ, શ્રમણા અને પ્રચારાએ ગિરિનગરને તેમનું કેન્દ્ર બના વેલુ ત જેવું ને તેવું રહ્યું. ઈ. સ. ૬૪૦માં ગિરિનગર આવેલા ચીની પ્રવાસી હ્યુએનસાંગ નાંધે છે કે આ દેશ આશરે ૪૦૦૦ લી. (૧૩૦૦ માઈલ)ના ઘેરાવામાં છે. તેની રાજધાનીના વિસ્તાર ૩૦ લી. (૧૦ માઈલ) ના છે. તેમાં વિપુલ પ્રમાણમાં જન સંખ્યા વસે છે. પ્રજા ધનિક છે. આ પ્રાંત વલભી મડારાજ્યને આધીન છે. અહીં જમીન ક્ષારવાળી છે તથા ફલફૂલ થાડાં થાય છે. અહી સત્યધર્માંવલખી (બૌદ્ધ) અને પાખંડી (અન્ય ધર્માવલ`ખી) ઘણા છે. અહીં લગભગ પચાસ જેટલા મટા છે અને તેમાં ત્રણુસા જેટલા સાધુએ રહે છે. તે બહુધા મહાયાન–આ સ્થવિર–સ`પ્રદાયના છે. આ સિવાય પાખડ મતના (બ્રાહ્મણજૈના) સે। જેટલા ક્રિશ છે. આ રાજ્ય પશ્ચિમ સમુદ્રના તટે છે. લેકાના મુખ્ય વ્યવસાય વ્યાપાર છે. નગરથી થાડે દૂર ઉજ્જન નામનો પર્વત છે તેના ઉપર પણ એક મઠ છે-પવ તને ફરતું ધાડુ. વન છે.’-વગેરે મ આ વણૅન ઉપરથી ફલિત થાય છે કે ઈ. સ. ૬૪૦માં નગર કે ગિરિનગર એક મહત્ત્વનું કેન્દ્ર હતું અને વલભી સામ્રાજ્યને આધીન હોવા છતાં ઢાઈ નાના રાજ્યની રાજધાની કે સમ્રાટના પ્રતિનિધિનું મુખ્ય મથક હતું.
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy