SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસ : ૭, આ પાળ તૂટી અને તે પુનઃ સમરાવવાનો પ્રશ્ન ઈ. સ. ૪૫૦ પછી ઉપસ્થિત થયો હશે ત્યારે તત્કાલીન સ્થપતિઓએ ઉપરકેટ અને જોગણીના પહાડના છેડા મેળવી લઈ વિલાશિનીનાં પાણુ તેમાં પડે તેમ બંધ બાંયો. - શ્રી. છે. મ. અત્રિના સંશોધનમાં તેમને એમ પણ જણાયું છે કે આ બંધ ઉપરથી વહેતાં વધારાનાં પાણીને ખામધ્રૌળ પાસે અને તે પછી ખલીલ પુર પાસે નાથવામાં આવેલાં. શ્રી અત્રિ માને છે કે “સુદર્શન તળાવ ગિરનારની પશ્ચિમે હતું. તેની પૂર્વોત્તર અને પૂર્વ દક્ષિણથી ક્રમશઃ આવતી તેની બંધ પાળીએ તેના પૂર્વ કેણ રચતી હતી. તેના ઉપર અશોકના લેખવાળે ખડક હતા.' ચીની પ્રવાસી હ્યુએનસાંગ ઈ. સ. ૬૪૦ આસપાસ ગિરનારની યાત્રાએ આવેલે. તેણે સુદર્શનને ઉલ્લેખ કર્યો નથી પરંતુ સકંદપુરાણના પ્રભાસખંડમાં ૯મા અધ્યાયમાં ઉજજયંત પર્વત અને વસ્ત્રાપથ ક્ષેત્રનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે કે “વસ્ત્રાપથ ક્ષેત્રના વાયુ કણમાં એક દિવ્ય સરોવર છે.”વસ્ત્ર પથ ક્ષેત્રની સીમા આવતાં 9મા અધ્યાયમાં પુરાણકાર કહે છે કે વિશિષ્ટ તીર્થ (ત્રિવેણી)થી માંડીને કાલિકાનું સ્થાન જે ગિરિનગરમાં છે ત્યાં સુધી અંતર્ગીક્ષેત્ર કહેવાય છે તેનો અર્થ એ કરી શકાય કે વસ્ત્રાપથ ક્ષેત્ર વર્તમાન ધારાગઢ દરવાજાથી શરૂ થઈ ગિરિનગર સુધી પથરાયેલું હશે. તેના વાયવ્ય એટલે પૂર્વ ઉત્તરમાં દિવ્ય સરોવર હતું તેથી તે સરવર સુદર્શન કે તેનું અવશેષ હેય તે સંભવી શકે ! - ઈ. સ. ૪૫-૪૫રમાં ગુપ્તકાલમાં તેનું સમારકામ થયું પરંતુ એવું પણ અનુમાન થઈ શકે કે ઈ. સ. ૬૪૦ કે તેની પૂર્વે સુદર્શન પુનઃ ફટયું અને તેમાં ગિરનારને ઘણું નુકસાન થયું. વારંવાર ફાટતાં આ તળાવને તે પછી કેઈએ સમરાવ્યું નહિ અને ગિરિનગરનાં પ્રજાજનોએ પણ તે કારણે સ્થળાંતર કર્યું. " આ પ્રશ્નને સંશોધનને હજી પણ પૂર્ણ અવકાશ છે અને પુરાતત્ત્વવિદો તે માટે અપાર શ્રમ કરી રહ્યા છે. તેઓના સંશોધનનું પરિણામ આવે ત્યારે સુદર્શનની ચાર સીમાઓ કયાં સુધી હતી તે પ્રશ્નને નિર્ણય આવી શકે પરંતુ હું એમ માનું છું કે સુદર્શન સરોવર અશોકના લેખની છેડે ઉપરથી શરૂ થઈ ગિરનાર જવાનો માર્ગ છેડી સામેની ટેકરીઓને તળિયે અડતું અને 1 ક્ષત્રપાકાલીન ગિરિનગર, શ્રી. છો. મ. અત્રિ 2 ભાષાંતર છે. મુ. ગેરાભાઈ રામજી
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy