SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ઃ જૂનાગઢ અને ગિરનાર માટે ઉપયોગ કરવાની યેજના કરી અને તેને બંને તીરે વૃક્ષે વાવ્યાં. પ્રભાસખંડમાં ચંદ્રકેતુરાજાએ મનહર નગર વસાવ્યું અને દુર્ગ, દ્વાર આદિથી સુંદર બનાવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે તે ઉલેખ ચંદ્રગુપ્ત મૌર્યને જ હોવો જોઈએ. પ્રભાસખંડ ત્યાં દિવ્ય સરોવર હતું તેમ પણ કહે છે. સંભવ છે કે તેનું મૂળ નામ દિવ્ય સરેવર હેય અને પાછળથી તેને દેખાવ સુંદર લાગતો હોવાથી તેને સુદર્શન કર્યું હોય ! આ સુદર્શન સરોવર ખરેખર કયાં હતું તેના માટે વિદ્વાને અને પુરાતત્ત્વવિદો વિભિન્ન અભિપ્રાયો ધરાવે છે. ઈ. સ. ૧૮૮માં જ્યારે રૂદ્રદામાના શિલાલેખનું પ્રથમ વાંચન થયું ત્યારે સર્વેને જ્ઞાત થયું કે અહીં સુદર્શન નામનું તળાવ હતું. રૂદ્રદામાને શિલાલેખ કહી જાય છે કે આ સરોવરમાં સુવર્ણસિકતા, પલાશિની અને અન્ય કળાઓનાં પાણીને વાળવામાં આવ્યાં હતા. અંદગુપ્તને શિલાલેખ તેમાં વિલાશિની નદીનું નામ ઉમેરે છે અને એમ પણ કહે છે કે “આ નદીઓ પૈવતક પર્વતમાંથી નીકળે છે અને તે સર્વે સમુદ્રની કાન્તાઓ દીર્ધકાળ બંધનમાં રહી હતી તે શાસ્ત્રાનુસાર પુનઃ તેમના પતિ પાસે ગઈ.” આ આલંકારિક વર્ણનને સારાંશ એ છે કે આ નદીઓનાં પશ્ચિમમાં વહેતાં પાણીને બંધ દ્વારા રેકી તેનું સરેવર બનાવ્યું હતું. ગિરનાર તો છે જ ત્યાં હતા. તે માટે શંકાને કોઈ સ્થાન નથી. સરિતાઓનું વહેણ પણ ગિરનાર અને તેની ટેકરીઓમાંથી નીકળતી નદીઓ, વોકળાઓ અને નાળાંઓ દામોદકુંડ પાસે આવે છે ત્યાં સાંકડા માર્ગમાંથી પસાર થાય છે અને બીજી નદી ત્રિવેણી છે ત્યાં આવે છે એટલે રૂદ્રદામાના લેખમાં સુવર્ણરેખા અને પલાશિની નદીઓને ઉલ્લેખ છે તે દામોદરકુંડ પાસે વહેતી વિલાશિની ત્રિવેણી પાસે પડે છે તેને ઉલેખ સકંદગુપ્તના શિલાલેખમાં છે એટલે એમ માની શકાય કે જ્યારે બંધને વિસ્તાર વધારવામાં આવ્યો ત્યારે તેની સીમા ત્રિણીથી આગળ સુધી વધારી વિલાશિનીને પણ તેમાં આવરી લીધી જયારે મૌર્ય કાલમાં તે બંધાયું ત્યારે તે અશોકના શિલાલેખની સામેની પર્વતી પાસેથી શરૂ થતું હશે. તેની ઉત્તરમાં લગભગ ૧૦૦૦ વાર લાંબી અને ઊંચી પાળ ધારાગઢ દરવાજા સુધી જતી હશે અને ધારાગઢ દરવાજાની અંદર ખાપરા કેઢિયાના ભોંયરા છે ત્યાં સુધી અને ઉપરકેટની દીવાલને તેનાં પાણી અડતાં હશે. પશ્ચિમે ઉપરકોટના ખડકને અડીને વાગીશ્વરી દરવાજા સુધી તેની સીમા હશે અને ભેસલા ખડક સુધી તેનાં પાણી પહેાંચતાં હશે અને પૂર્વ તરફ અશોકના લેખની સમીપે તેની પાળ હશે. જ્યારે
SR No.007172
Book TitleJunagadh Ane Girnar
Original Sutra AuthorN/A
AuthorShambhuprasad Desai
PublisherPravin Prakashan
Publication Year1990
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy