________________
૬૦ : જૂનાગઢ અને ગિરનાર
આપ્યો નહિ. પરિણામે આ સરિતાઓને નાથીને મૌર્યકાલમાં બાંધેલું સુદર્શન તળાવ ફાટયું. જયારે વૃષ્ટિ વરસતાં વાદળાંને લીધે પૃથ્વી જાણે કે એક સમુદ્ર બની ગઈ હતી ત્યારે ઉજયંત પર્વતના સુવર્ણસિકતા, પલાશિની અને અન્ય નાળાઓનાં અતિ ચડેલાં પૂરથી તે બંધ... જે કે એગ્ય સાવચેતી (રાખી હતી) તે પણ, પર્વતનાં શિખરે, વૃક્ષો, કાંઠાઓ, અગાસીઓ, મેડીએ, દરવાજાઓ અને ઊંચા વિસામાઓ ફાડી નાખતાં, યુગના અંત લાયક પરમાર વેગવાળા, તોફાનથી વલોવાતા પાણીએ વિખેરી નાખ્યાં; ભાંગીને ભૂ કર્યા, ફાડી નાખ્યાં...આસપાસ વિખરાયેલા પથ્થર, ઝાડ ઝાડી અને વેલેથી નદીના તળિયા પર્યત ખલું થઈ ગયું -” “ચારસે વીશ હાથ લાંબા તેટલા જ પહેળા અને પંચોતેર હાથ ઊંડા ગાબડામાંથી બધું પાણી વહી ગયું જેથી રેતાળ રણના જેવું દુર્દશન (થયું).
આવી કુદરતી આફક્ત તેમના ઉપર ઊતરેલી જોઈને, ગિરિનગરની પ્રજા ભયગ્રસ્ત થઈ અને તેના ઉપયોગનું પાણી નિરર્થક વહી જતું જોઈ પિતાના ભાગ્યને રોવા લાગી ત્યારે મહાક્ષત્રપ રુદ્રદામાએ પ્રજા પાસેથી કંઈપણ પ્રકારને ખર્ચ ન લેતાં પોતાના અંગત દ્રવ્યકેષમાંની વ્યય કરી આ પાળનું સમારકામ કરાવી લેવા આજ્ઞા આપી. તેણે માત્ર આત્માની ઉન્નતિ માટે આ કાર્ય કરાવ્યું. કુદરતે વેરેલા વિનાશથી વ્યથિત થતા લેકેને વિશાખ જોઈ શકો નહિ. સ્થપતિઓ આ પ્રચંડ ફાટ પૂરી નહિ શકે એમ જણાતાં પિતાની શક્તિ અને બુદ્ધિથી તેણે આ કાર્ય હાથમાં લઈ પડેલી ફાટ પૂરી દીધી. તેણે તળાવને વિસ્તૃત પણ કર્યું.”
આ લેખ અશોકના લેખની પશ્ચિમ બાજુમાં મથાળાના ભાગમાં ૧૧ ફીટ ૧ ઈંચ પહોળાઈ અને ૫ ફટ ૫ ઈંચ ઊંચાઈવાળી જગ્યામાં છે. તે લેખની વિશ પંક્તિઓ છે જેની ચાર પંક્તિઓ સુરક્ષિત છે. બીજી પંક્તિઓ ઘસાઈ ગયેલી છે. આખા લેખનું ક્ષેત્રફળ ૧૯૦૦ એ. ઈચ છે જેમાંના ૨૭૫ ઈંચ જેટલો ભાગ નષ્ટ થયું છે. અક્ષરની ઊંચાઈ ૭/૮ ઈંચ છે. ઈટવા
રૂદ્રદામાના સમયમાં ગિરિનગર રાજ્યનું અને ધર્મનું કેન્દ્ર બન્યું હોવાનું જણાય છે. ગિરિનગરની પૂર્વમાં આવેલા ગિરનારની તળેટીમાં ઈંટવા નામના
2-3 રૂદ્રદામાનો શિલાલેખ હિસ્ટોરિક્ત ઈસ્ક્રિપશન્સ ઓફ ગુજરાત, પુ. ૧લું, શ્રી ગિ.
વ. આચાર્ય, ભાષાંતર તેના જ શબ્દોમાં છે.