________________
પ્રાચીન ઈતિહાસ : પ.
ચસ્ટન છે. ઈ. સ. ૧૩૦માં શક સરદાર યસમોતીકા કે સ્પામોતીકાનો પુત્ર ચસ્ટન ગૌતમી પુત્ર સામે યુધે ચડ્યો અને તેને હરાવી તેણે છોલી શકે પ્રદેશે પુનઃ હસ્તગત કર્યા. તેણે તેની રાજધાની ઉજજૈનમાં કરી અને સ્વતંત્ર શાસક તરીકે પોતાના નામના સિક્કાઓ પડાવ્યા. , ચસ્ટન અને તેને અનુગામી જયદામન ઈ. સ. ૧૪૮ સુધી આધોની, સામે લડતા રહ્યા. દીર્ઘકાળ પર્વત. લડાયેલા આ નિગ્રહમાં ગૌતમી પુત્રના પુત્ર વિશિષ્ટપુત્રે શોને સખ્ત રિાકસ્ત આપી તેથી જયદામનના પુત્ર રૂદ્રદામાએ પિતાની પુત્રી વિશિષ્ટપુત્રને આપી તેના રાજાને સર્વનાશમાંથી ઉગારી લીધું. રૂદ્રદામા
'રૂદ્રદામાં એક વિચિક્ષણ રાજનીતિ અને વ્યવહારકુશલ રાજા હતા. તેણે વિશિષ્ટ પુત્રને પરાજિત કરી તેણે જીતી લીધેલા ઘણા પ્રદેશો પુનઃ સ્વાધીન કર્યા ક્રમે ક્રમે અન્ય પ્રદેશો જીતી લઈ તેણે એક મહારાજ્યની સ્થાપના કરી, જેમાં આકરાવતિ અનુ૫, આનર્ત, સુરાષ્ટ્ર, ધન્ન, મરૂન કચ્છ, સિધુ, સૌવિર, કુકર, અપસન્ત, નિષાદ આદિ પ્રદેશો હતા. રૂદ્રદામાની રાજધાની ઉજજૈનમાં જ હતી. - સૌરાષ્ટ્રનું પ્રાંતિક પાટનગર રૂદ્રદામાના સમયમાં ગિરિનગર હતું. ત્યાંને અધિકારી સુવિશાખ હતા. આ સુવિશાખ, પહલવ વા. પાથીઅન જાતિને હતા. ડે. ભાઉદાજી અનુમાન કરે છે કે, સુવિશાખા ઈરાની સીયાવક્ષ હશે. પ્રે, કમસેરિયેટ પણ તે પારસી હેવાનું માને છે. પરંતુ જો તેમ ત તે શિલાલેખમાં તે નામ આપવામાં આવ્યું હતું. આ સમયમાં પહદેલ, પાથી અને શકે, ઈરાનીએ, ગ્રી વગેરે વિદેશીઓ ભારતમાં સ્થાયી થઈ ગયા હતા અને બૌદ્ધ કે બ્રાહ્મણ ધર્મ સ્વીકારી ભારત વિશાળમાં સમાઈ ગયા હતા. સુવિશાખ તે પૈકીનું એક પહલવ હશે. સુદર્શન તળાવ વ શિક સંવત ૭૨-ઈ. સ. ૧૫માં ગિરિનગરમાં અને ગિરિમાળામાં ભારે વરસાદ પડ્યો અને વાવાઝોડું થયું. તેના કારણે સુવર્ણસિકતા અને પલાશિની સરિતાઓમાં ત્યારે પૂર આવ્યાં અને તેમાં તણાઈ આવેલાં વૃક્ષો તળાવમાં ભરાયાં. વણથંભ્યા અવિરત વરસતા વરસાદે નદીના પાણીને માર્ગ
1 શના ઈતિહાસ માટે જુઓ “સૌરાષ્ટ્રનો ઇતિહાસ, શં. હ. દેશાઈ.