________________
૫૮ : જૂનાગઢ અને ગિરનાર બજેસ અને બીજા વિદેશી વિદ્વાનોએ ભલામણ કરતાં તથા પોલિટિકલ એજન્ટ સર ચાર્લ્સ ઓલીવને આગ્રહ કરતાં રાજ્ય તેના ઉપર મકાન બનાવ્યું. આ મકાનનું ખાતમુહૂર્ત ઈ. સ. ૧૯૦૦ના જૂન માસમાં કર્નલ સી. ડબલ્યુ. એચ. ' સીલીના હાથે થયું
મૌર્ય પશ્ચા - ઈ. સ. પૂર્વે ૧૮૫માં મગધના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે મૌર્ય સમ્રાટ બ્રેડદ્રથને વધ કરી મગધને મુગટ સ્વશિરે મૂક્યો. શુંગાને અધિકાર સૌરાષ્ટ્ર ઉપર હતો કે કેમ તે નિશ્ચિતપણે જાણી શકાયું નથી. મૌર્ય સામ્રાજ્યના અંત પછી ગિરિનગર ઉપર કોને અધિકાર હતા તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી પરંતુ સ્કુટ ઉલ્લેખો ઉપરથી અનુમાન થઈ શકે છે કે ગ્રીક સરદારોએ આ પ્રદેશ ઉપર તેમની સત્તા સ્થાપેલી. શૃંગોની સત્તા ઈ. સ. પૂર્વે ૭૭માં અને ગ્રી કોની સત્તા ઈ. સ. પૂર્વે ૭૦માં ભારતમાંથી નષ્ટ થઈ અને તે સાથે જે તેઓને ગિરિનગર ઉપર અધિકાર થયે હેય તે પણ આ કાળે તેને ઉચ્છેદ થઈ ગયો. * ઈતિહાસકારોમાં એક એવી પણ માન્યતા પ્રવર્તે છે કે ગ્રી કે પછી સૌરાષ્ટ્ર ઉપર આંધ્ર રાજાઓને અધિકાર થયું. પરંતુ ગિરિનગર તેઓનું પાટનગર હતુ કે પ્રાંતિક રાજધાની હતી તે માટે કોઈ નિર્દેશ નથી, તેથી ઈતિહાસનાં સબળ સમર્થન સિવાય આંધોનું સ્વામીત્વ હતું તેમ સ્વીકારી શકાય નહિ એટલે એ અનુમાન કરી શકાય કે, ઈ. સ. પૂર્વે ૭૦ થી ૧૦૦ સુધી ઉજજૈનના ક્ષત્રપો અથવા કેઈ સ્થાનિક રાજાને આ પ્રદેશ ઉપર અધિકાર હશે અને ગિરિનગર તેનું પ્રતિક પાટનગર હશે ! શિક સમય નાહપાન * ઈ. સ ૧૦૦ આસપાસ ભૂસક નામને ક્ષહરથ શાખાના એક શક ક્ષત્ર રાષ્ટ્ર સ્વાધીન કર્યું. તેના અનુગામી નાહાને તેનું રોજ મહારાષ્ટ્ર સુધ વિસ્તાયું, નહપાનને જમાઈ ઉઘાત, અહીં આવે. તેણે પ્રભાસ ક્ષેત્રમાં આઠ બ્રાહ્મણને કન્યાદાન આપ્યાં અને ગિરિનગરની યાત્રા કરી.' સાતવાહન રન ગૌતમી પુત્ર શ્રી સાતકરણીએ નાહપાનને પરાજિત કરી ક્ષહરથ શની સત્તા નષ્ટ કરી. આ રાજાઓના સમયમાં ગિરિનગરનું શું સ્થાન હતું તે જાણ વામાં આવતું નથી. 1 નાશિક પાસેના પાંડલેને શિલાલેખ એગ્રિાફિકા ઈન્ડિક પુ-મું.
-
-
-
-
-
-
- - -
- -
-
-
-
ગાકારક