________________
પ્રાચીન ઈતિહાસ ઃ ૫૭
તુષારાં સદન વિસ્તૃત કર્યુ " તેમાંથી નહેશ કાઢી અને તળાવની બન્ને બાજુ ઉપર માર્ગ બંધાવ્યા. ગિરિનગર, સુદર્શનને કાંઠે કાંઠે બે બાજુએ વસ્તુ' તેવી અમુક વિદ્વાનાની માન્યતા ઉપરાક્ત કારણેાસર ખેાટી છે. પર્વતીય લેખ
સમ્રષ્ટ અશોકે તેની આજ્ઞાએ પ્રજાના માટે વગ તે વાંચી શકે તે માટે સુદર્શન તળાવને દક્ષિણ કાંઠે એક ખડકમાં કાતરાવી,
આ લેખ અશેકના શિલાલેખના નામથી જાણીતા છે. તે પહેંચાત ફીટના પરિધમાં છે અને તેના ઉપર લગભગ એકસો ફીટના વિસ્તારમાં બ્રાહ્મો લિપિમાં અને પાલી ભાષામાં ચૌદ શાસનેા લખી પ્રજાને હિંસાથી દૂર રહેવા, ઔષવિ પ્રાપ્ત થાય તેવી વનસ્પતિએ રોપાવવા, ભ્રાહ્મણ અને શ્રમણને સરખા ગણવા, સÖયમ નિયમનું પાલન કરવા, માંગલિક મૃત્યા કરવા, ભિક્ષુકાને દાન આપવા, સર્વે ધર્મને અનુસરનારાઓને અરસપરસ સ`પથી રહેવા આજ્ઞા આપી છે. તે ઉપરાંત અન્ય શાસનામાં રાજય પદાધિકારીઓને સ્ત્રીઓ, યાત્રિ આદિનું ધ્યાન રાખવા અને મહામાત્રાને જ્ઞાનના પ્રચાર કરવા, ઉપદેશ કરતા રહેવાની સૂચના આપી છે.
આ શિલાલેખ પોતે પ્રથમ જોયા એવા દાવા કÖલ જેઈમ્સ ટાડે તેન! પુસ્તક ટ્રાવેલ્સ ઈન વેસ્ટન ઈન્ડિયા'માં કર્યો છે, તેએ આ લેખની લિપિ ઉકેલી શકેલા નહિ. ઈ. સ. ૧૮૩૭માં જૂનાગઢના સપૂત પરમ વિદ્વાન ડૉ. ભગવાનલાલ ઈંદ્રજીએ કરેલા ભગીરથ પુરુષાર્થના પરિણામે તેના બિં`ગા તૈયાર થયાં અને રેવ. ડી. જે વિલ્સને કલકત્તાના ડૉ. જે પ્રિન્સેપ નામના વિદ્વાન ઉપર મોકલતાં તેણે ઈ. સ. ૧૮૩૮માં તેનું ભાષાંતર કર્યું". તેના ઉપર પ્રેા. એમ. એમ. વિલ્સન, ઈં. બરનુક્, સી. લાસન, ડૅ. એમ. ક્રેન, જેમ્સ ખરનેસ વગેરે વિદ્વાનાએ ટિપ્પા અને નોંધ લખ્યાં.
આ લેખનાં પાંચમાં અને તેરમાં શાસના, ગિરનારના માર્ગ કાઢતી વખતે તાડી પાડવામાં આવેલાં જેના એક ટુકડા જૂનાગઢ મ્યુઝિયમમાં છે. આ શિલાલેખની સુરક્ષા માટે આ એલેાજિકલ સર્વે ઓફ ઈન્ડિયાવાળા શ્રી જેમ્સ
1 હિસ્ટારિકલ ઈન્સ્ક્રિપ્શન્સ આફ ગુજરાત, વે. ૧, શ્રી ગિ. વ. આચાય. 2 એકસટ્રેકટસ ફ્રોમ ધી રિા એન ધી એન્જિકવિઝ એક્ કાઠિયાવાડ એન્ડ કચ્છ, જેઇમ્સ ખરજેસ.
જૂત્રિ.-૮