________________
૫૬ ઃ જૂનાગઢ અને ગિરનાર મૌર્ય સામ્રાજ્ય
ઈ. સ. પૂર્વે ૩૧૯માં ચંદ્રગુપ્ત મૌર્ય મગધના સિંહાસને બેસી ભારતના વિભિન્ન પ્રદેશ ઉપર તેને વિજયધ્વજ ફરકાવ્યો અને તે સમયે સૌરાષ્ટ્ર પણ મગધના સામ્રાજ્યનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. સૌરાષ્ટ્ર આ કાલે ગણતંત્ર હતું અને તેની આંતરિક સ્વાધીનતા અબાધિત રાખી સમ્રાટે તેના ઉપર અંકુશ રાખવા રાષ્ટ્રીય નામના એક અધિકારીને નિયુક્ત કરેલ. સૌરાષ્ટ્રના આ ગણતંત્રનું પાટનગર ગિરિનગર હતું અને રાષ્ટ્રીય પણ ત્યાં રહેતા. ચંદ્રગુપ્તના આ રાષ્ટ્રીય પદે પુજ્યગુપ્ત વૈશ્ય હતા તેણે ઉપરકેટ બંધાવ્યો અને તેની દીવાલની નીચે સુવર્ણસિકતા, પલાશિનિ વગેરે સરિતાઓના પ્રવાહ રોકી એક બંધ બાંધી ત્યાં એક સરોવર નિર્માણ કર્યું અને તેનું દશ્ય સુંદર હતું તેથી તેને સુદર્શન કર્યું.'
ને કહ્યું અશોક
ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોકના સમયમાં પણ ગિરિનગર એક પ્રાંત પાટનગર રહ્યું પણ ત્યાંનું ગણતંત્ર નષ્ટ થઈ ગયું હોવાનું જણાય છે. આ ગણતંત્રને પ્રમુખ કે રાજા તુષાર્ફ હતું તે અશોક વતી રાજ કરતાં એટલે કદાચ સ્વતંત્ર પ્રમુખ નહિ પણ તેને પ્રતિનિધિ હશે. કદાચ પ્રમુખ, રાજા પણ કહે વાત હોયપરંતુ અશોકના સામ્રાજ્યના અસ્ત પછી ઈ. સ. ૧૫૧-૧૫રમાં કેતરાયેલા રૂદ્રદામાના શિલાલેખમાં લખ્યું છે કે “નિપુણપુસૈન પ્તિ ગાય નૌજ તે યવન ન (ગા) નાયિ.” “મૌય અશોક માટે રાજ્ય કરતા યવન રાજા તુષારફથી...વગેરે” એ ઉપરથી ફલિત થાય છે કે એ અશોકને પ્રતિનિધિ હશે અને તેથી ગણતંત્ર વિખરાઈ ગયું હશે.
તુષાર્જુને યવન રાજા કહ્યો છે. ગ્રીકેને સામાન્ય રીતે યવન કહેતા અને મૌર્ય રાજાઓને ગ્રી કે સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. ચંદ્રગુપ્તની એક રાણી ગ્રીક હતી. ગ્રીકોએ આ કાલમાં ભારતમાં ઘણાં નાનાં નાનાં રાજ્યો પણ સ્થાપેલાં અને પાછળથી આર્ય ધર્મમાં સમ્મિલિત પણ થઈ ગયેલા તે પૈકીને તુષારફ એક હશે. પ્રો. કેમીસેરિયેટ, તે પારસી હતો તેમ કહે છે જે માન્યતાને પણ કોઈ આધાર નથી.
|1 રૂદ્રદામાને શિલાલેખ-હિસ્ટેરિકતા ઈન્સિ ઓફ ગુજરાત, પુસ્તક ૧૬, શ્રી ગિ. વ.
આચાર્ય.