________________
જૂનાગઢ : ૫૫
સ્કંદપુરાણના પ્રભાસખડમાં રેવતાચળ પાસેના વસ્ત્રાપથ ક્ષેત્રનું વર્ણન છે તેમાં પણ દૈવી ચમત્કારાથી ભરપૂર વાર્તાએ જ આપી છે અને તેથી તેમાંથી પણ કાંઈ ઐતિહાસિક માહિતી મળતી નથી.
શ્રીકૃષ્ણ જયારે સુરાષ્ટ્રમાં આવ્યા ત્યારે રાજા મુચુકુ શાપિત થઈ ભરગંધમાં સૂતેલા. તેના ઉપર પોતાની પામરી શ્રીકૃષ્ણે ઓઢાડી દીધી. શ્રીકૃષ્ણની પાછળ પડેલા કાલયવને તેને શ્રીકૃષ્ણે માનીયે ત્યારે જાગૃત થતાં તેની દષ્ટિ કાલયવન ઉપર પડતાં તે ભસ્મીભૂત થયા એવી પણુ પુરાણુની એક કથા છે.
એમ છતાં પુરાણેની વાર્તાઓમાંથી એ સારાંશ નીકળે છે કે પાવે. પ્રભાસ સમીપે શ્રીકૃષ્ણે સ્થાપેલા દ્વારકામાં વસવા આવ્યા ત્યારે આ ભૂમિમાં આવેલા અને સ`ભવત રહેલા પણુ. દ્વારકા તા દ્વાર સમુ નગર હતું, તેની પૃષ્ઠભૂમિ ગિરનાર સુધી વિસ્તરી હતી અને તે સમગ્ર ભૂમિમાં યાદવે વસતા. દ્વારકા સમીપે રૈવત પવ ત હતા અને તેથી દ્વારકા જૂનાગઢ઼ છે, ત્યાં વસતું એવી ભ્રમમૂલક કલ્પના કેટલાક વિદ્વાનોએ કરી છે પરંતુ એમ વિચારવામાં આવતું નથી કે છપ્પન કાટી યાદવો એક નગરમાં જ રહેતા હૈવાનું સંભવી શકે નહિ. રૈવત પર્વતથી શરૂ થતી ગિરિમાળા સમુદ્ર પય ત વિસ્તરેલી અને વ માન સારઠ પ્રદેશમાં યાદા વસી ગયેલા. તેની પશ્ચિમે શ્રીકૃષ્ણના પ્રિય અને ખાસ પ્રર્દેશ નાગર ભૂમિ" હતા જે આજે નાઘેર કહેવાય છે અને પ્રભાસથી પૂર્વમાં ચાવીસ માઈલ ઉપર શ્રીકૃષ્ણનું સમૃદ્ધ અને વિશાળ નગર હતુ' ને સમુદ્ર માર્ગે થતા વ્યાપારનું કેન્દ્ર હતું અને ત્યાંનાં નિવાસી સમુદ્ર વ્યાપારથી અઢળક ધન ઉપજિત કરતા તેથી લક્ષ્મી સમુદ્રમાંથી મળી છે અને તેનાથી તે નગર સુવણૅ નું નગર છે એમ કહેવાતું અને પૃષ્ઠ પ્રદેશનું તે દ્વાર હતું. તેથી દ્વારકા કહેવાતું અને તેથી વર્તમાન જૂનાગઢ છે ત્યાં કે તેની સમીપે દ્વારકા વસતુ તે વિધાન બરાબર નથી. 1
દ્વારકાનાં વર્ણનામાં રૈવતગિરિશ્તા ઉલ્લેખ છે તે ગિરિ આજ રૈવત કે ખીજો તે પ્રશ્ન પણ ચર્ચાસ્પદ છે. દ્વારકા સમીપે જે પર્વત હતા તેને રેવત નામ અપાયુ હોય અથવા તે આજ રૈવત હાય અથવા એક જ નામના બે પવ તા હાય અથવા ગિરનારથી સમુદ્ર પરત જતી ગિરની નામથી એક કાત્રે જાણીતી હાય.2
ગિરિમાલા તે
1 વિસ્તૃત ચર્ચા માટે જીએ શ્રીકૃષ્ણનું દ્વારકા”, શ”. હ. દેશાઈ. 2 એજન.